________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
आन्तरं जीवनं पोष्यं प्रामाण्यस्वोद्यमादिकैः । आत्मोपयोगशुद्धयर्थं सत्त्वजीवनकारणम् ॥ ६३१ ॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મોપયોગની શુદ્ધિને માટે સત્ત્વગુણવાળું જીવન કારણ છે, તેથી પ્રમાણભૂત અર્થાત્ માન્ય હોય એવા પોતાના ઉદ્યમ વગેરેથી આંતરિક જીવન પોષવું જોઈએ. (૬૩૧)
रोगभ्य औषधादीनां दानं शक्त्यनुसारतः । विद्यादानञ्च बालेभ्यो देयमात्मोपयोगिभिः ॥ ६३२ ॥
આત્મોપયોગવાળાઓઐ શક્તિ અનુસાર રોગીઓને ઔષધ વગેરેનું દાન અને બાળકોને વિદ્યાદાન દેવું જોઈએ. (૬૩૨)
गृहागतस्य सत्कारः कर्तव्यो भोजनादिभिः । आपत्काले च दुर्भिक्षे कर्तव्यं लोकपालनम् ॥ ६३३ ॥
ઘરે આવેલાને ભોજન વગેરેથી સત્કાર કરવો જોઈએ તથા આપત્તિના સમયે અને દુષ્કાળમાં લોકોનું પાલન કરવું જોઈએ. (૬૩૩)
सूरिवाचकसाधूनां वैयावृत्यं सुभावतः ।
कर्तव्यञ्च तथा सेवाभक्तिरात्मोपयोगिभिः ॥ ६३४ ॥
આત્મોપયોગવાળાઓએ સારા ભાવથી આચાર્ય, ઉપાધ્યાય અને સાધુઓનું વૈયાવૃત્ય કરવું જોઈએ તથા સેવા અને ભક્તિ કરવી જોઈએ. (૬૩૪)
दानाद्यैरात्मशुद्धिः स्यात्तथा सद्गुरुसङ्गतः । प्रादुर्भवति मोक्षार्थमात्मोपयोग आन्तरः ॥ ६३५ ॥
દાન વગેરેથી આત્મશુદ્ધિ થાય છે તથા સદ્ગુરુના સંગથી મોક્ષને માટે આંતરિક આત્મોપયોગ પ્રકટે છે. (૯૩૫)
૧૨૭
For Private And Personal Use Only