________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
जातेर्लिङ्गस्य लक्ष्याश्च देशस्य मोहवृत्तिभिः । धर्माभिमानवृत्त्या च मोक्षो नृणां न जायते ॥६३६ ॥
જાતિ, લિંગ, લક્ષ્મી અને દેશની મોહવૃત્તિઓથી અને ધર્માભિમાનની વૃત્તિથી મનુષ્યોને મોક્ષ થતો નથી. (૬૩૬)
आत्मनि गुणपर्यायाः सत्तातः सन्त्यनादितः । सन्तो ये कर्मणो नाशादाविर्भूता भवन्ति ते॥६३७॥
સત્તાથી અનાદિ કાળથી આત્મામાં જે ગુણો અને પર્યાયો છે, તે આત્મગુણો અને પર્યાયો કર્મના નાશથી આવિર્ભત અર્થાત્ પ્રકટ થાય छ. (६३७)
आत्मनो गुणपर्यायव्यक्तये हेतवश्च ये। तेषां सदुपयोगेन स्वात्मा सिद्धो भवेत्स्वयम् ॥६३८ ॥
આત્માના ગુણો અને પર્યાયોને વ્યક્ત કરવાને માટે જે હેતુઓ છે, તેઓના સદુપયોગથી પોતાનો આત્મા સ્વયં સિદ્ધ થાય છે. (૬૩૮)
स्थावरतीर्थयात्राभिरात्मशुद्धिः प्रजायते। जङ्गमतीर्थयात्राभिरात्मशुद्धिर्भवेद् द्रुतम् ॥६३९ ।।
સ્થાવર તીર્થોની યાત્રાઓથી આત્મશુદ્ધિ થાય છે અને જંગમ તીર્થોની યાત્રાઓથી આત્મશુદ્ધિ શીધ્ર થાય છે. (૯૩૯)
ॐ अर्हमन्त्रजापेन चित्तशुद्धिर्भवेत्खलु। ॐ ही अर्ह महावीरजापात् कर्मक्षयो भवेत् ॥६४० ॥
ॐ अहँ भन्जन 14थी ५३५२ यित्तशुद्धि थायछे तथा ॐ ह्रीं अहँ महावीर ॥ 14थी भक्षय थाय छे. (६४०)
૧૨૮
For Private And Personal Use Only