________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
आत्मानन्दोपयोगार्थं निमित्तं च जगद्भवेत् । ज्ञाने ज्ञेयं जगत्सर्वं सुखाय स्वोपयोगिनाम् ॥ २९६ ॥
આત્માનંદમાં ઉપયોગને માટે જગત નિમિત્ત થાય છે. પોતાના આત્મામાં ઉપયોગવાળાઓને જ્ઞાનમાં શેય એવું આખું જગત સુખને માટે થાય છે. (૨૯૬)
बाह्यह्यां सुखं नास्ति तर्ह्यपि शर्महेतवे ।
ज्ञाने ज्ञेयतया भाति ज्ञानात्सुखं निजात्मनि ॥ २९७ ॥
બાહ્ય પૃથ્વીમાં સુખ નથી, તો પણ સુખના હેતુ માટે જ્ઞાનમાં શેયપણાથી તે ભાસે છે. વસ્તુતઃ જ્ઞાનથી સુખ પોતાના આત્મામાં જ છે. (૨૯૭)
बाह्यान्तरं जगत्सर्वं शुद्धब्रह्मोपयोगिनाम् । बह्मानन्दप्रदं भूयान्मूढानां दुःखहेतवे ॥ २९८ ॥
શુદ્ધબ્રહ્મમાં ઉપયોગવાળાઓને બાહ્ય અને આંતર સર્વ જગત બ્રહ્મના આનંદને આપનારું થાય છે. મૂઢ લોકોને બાહ્ય અને આંતર સર્વ જગત દુઃખના હેતુ માટે થાય છે. (૨૯૮)
सर्वविश्वस्थलोकानां भक्तिरन्नादिदानतः ।
कर्तव्या सर्वसाधूनां यथाशक्ति यदा तदा ॥ २९९ ॥
સર્વ વિશ્વના લોકોની અને સર્વ સાધુઓની ભક્તિ હંમેશા યથાશક્તિ અન્ન વગેરેના દાનથી કરવી જોઈએ. (૨૯૯)
आत्मशुद्धोपयोगार्थं सेवाभक्तिप्रसाधनम् । दयादानादिभिः सेवा कर्तव्या देहिनां सदा ॥ ३०० ॥
ત્ય શુદ્ધોપયોગ માટે સેવા-ભક્તિ મુખ્ય સાધન છે, માટે હંમેશાં દયા, દાન વગેરેથી દેહધારીઓની સેવા કરવી જોઈએ. (૩૦૦)
૬૦
For Private And Personal Use Only