________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
स्वार्पणेन सदा सेव्यः सम्यक्त्वज्ञानदायकः । आत्मोपयोगलाभार्थं सन्तः सेव्याः सुभावतः ॥ ३८६ ॥
સમ્યક્ત્વ અને જ્ઞાન આપનાર સ્વાર્પણ વડે અર્થાત્ સ્વ એટલે ધન અથવા પોતાની જાત કે પોતાનો આત્મા અર્પણ કરીને સદા સેવવા યોગ્ય છે. તથા આત્મોપયોગના લાભને માટે સત્પુરુષો સારા ભાવથી સેવવા યોગ્ય છે. (૩૮૬)
Acharya Shri Kailassagarsuri Gyanmandir
परोपकारिणां नृणां कार्या सेवा सुभावतः ।
सेवाधर्मसमो धर्मो नैव भूतो भविष्यति ॥ ३८७ ॥
પરોપકારી મનુષ્યોની સેવા સારા ભાવથી કરવી જોઈએ. સેવાધર્મ સમાન ધર્મ થયો જ નથી અને થશે પણ નહીં. (૩૮૭)
स्वोत्पन्नैः सद्गुणैः सेवा कार्या विश्वस्थदेहिनाम् । प्रतिफलं न चाऽऽकांक्ष्यं सन्तो निष्कामकर्मिणः ॥ ३८८ ॥
વિશ્વમાં રહેલા દેહધારીઓની પોતાનામાં ઉત્પન્ન થયેલા સદ્ગુણો વડે સેવા કરવી જોઈએ અને તેના બદલામાં ફળની આકાંક્ષા રાખવી ન જોઈએ. કારણકે સત્પુરુષો નિષ્કામ કર્મ કરનારા હોય છે. (૩૮૮)
सात्त्विकसद्गुणैः सेवाभक्तिकर्मादिभिर्जनैः । आत्मशुद्धिः प्रकर्तव्या साध्यं सिद्ध्यति साधनात् ॥ ३८९ ॥
સેવા, ભક્તિ અને કર્મ વગેરે સાત્ત્વિક સદ્ગુણો વડે લોકોએ આત્મશુદ્ધિ કરવી જોઈએ. કારણકે સાધનથી સાધ્ય સિદ્ધ થાય છે. (૩૮૯)
विश्वसेवा सदा कार्या प्राप्तशुद्धोपयोगिभिः । शुद्धोपयोगिनः सन्तः सेवायामधिकारिणः ॥ ३९० ॥
||
જેઓને શુદ્ધોપયોગ પ્રાપ્ત થયો છે, તેઓએ વિશ્વની સેવા સદા કરવી જોઈએ. શુદ્ધોપયોગવાળા સત્પુરુષો સેવા કરવાના અધિકારી છે. (૩૯૦)
૭૮
For Private And Personal Use Only