________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
आत्मज्ञानं विना सेवाकारिणः पापबन्धकाः । निष्पापा ज्ञानिनो ज्ञेया यतस्ते स्वोपयोगिनः ॥ ३९९ ॥
આત્મજ્ઞાન વિના સેવા કરનારા પાપને બાંધનારા છે. જ્ઞાની નિષ્પાપ જાણવા, કારણ કે તેઓ સ્વમાં અર્થાત્ પોતાના આત્મામાં જ ઉપયોગવાળા હોય છે. (૩૯૧)
क्षयोपशमभावेन प्राप्तशुद्धोपयोगिनाम् ।
सतां सेवा भृशं कार्या उपायैरपि कोटिभिः ॥ ३९२ ॥ ક્ષયોપશમભાવથી પ્રાપ્ત થયેલા શુદ્ધોપયોગવાળા સત્પુરુષોની પણ કરોડો ઉપાયો વડે ખૂબ સેવા કરવી જોઈએ. (૩૯૨)
शुद्धात्मप्रभुलीनानां देहाध्यासविवर्जिताम् । आत्मोन्मत्तमनुष्याणां हृदि व्यक्तो प्रभुर्महान् ॥ ३९३ ॥
શુદ્ધાત્મરુપ પ્રભુમાં લીન થયેલા, દેહાધ્યાસ વિનાના અને આત્માથી ઉન્મત્ત થયેલા મનુષ્યોના હૃદયમાં મહાન પ્રભુ વ્યક્ત થાય છે. (૩૯૩)
शुद्धब्रह्मरसास्वादप्राप्तमाधुर्यजीवनात् ।
जीवन्ति ते यतः सन्तः प्रभोर्जीवनजीविनः ॥ ३९४ ॥
સત્પુરુષો પ્રભુનું જીવન જીવનારા હોય છે, કારણકે તેઓ શુદ્ધ બ્રહ્મના રસાસ્વાદથી પ્રાપ્ત થયેલી મધુરતાવાળા જીવનથી જીવે છે. (૩૯૪)
आन्तरं जीवनं ज्ञानमनन्तमुपयोगिनाम् ।
अनन्तवीर्यसम्पन्नं जीवनं निर्मलं शुभम् ॥ ३९५ ॥
ઉપયોગવાળાઓનું આંતરિક જીવન અનંત જ્ઞાન તથા અનંત વીર્ય સંપન્ન નિર્મળ અને શુભ જીવન હોય છે. (૩૯૫)
૭૯
For Private And Personal Use Only