________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
पराभक्त्या प्रकाशते स्वात्मन्येव प्रभुः स्वयम् । पराभक्तिमयाः सन्तः सर्वविश्वोपकारिणः ॥३३१ ॥
પરાભક્તિથી પોતાના આત્મામાં જ પ્રભુ સ્વયં પ્રકાશે છે. પરાભક્તિવાળા સન્તો સમસ્ત વિશ્વ પર ઉપકાર કરનારા હોય છે. (૩૩૧)
सेवाभक्यादयः सर्वे योगाः शुद्धोपयोगिनाम् । विश्वपरोपकाराय सम्भवन्ति स्वभावतः ॥ ३३२ ॥
શુદ્ધોપયોગવાળાઓના સેવા-ભકિત વગેરે બધા યોગો સ્વભાવથી વિશ્વ પર પરોપકારને માટે થાય છે. (૩૩૨) .
समत्वेन प्रभोः प्राप्तिः सर्वदर्शनधर्मिणाम् । स्याद्वादज्ञानतः प्राप्यः समयोगो महात्मभिः ॥३३३॥
બધાં દર્શન અને ધર્મોવાળાઓને સમત્વથી પ્રભુની પ્રાપ્તિ થાય છે. તેથી મહાત્માઓએ સ્યાદ્વાદના જ્ઞાનથી સમતયોગ પ્રાપ્ત કરવો જોઈએ. (૩૩૩)
मुक्तिः साम्यं विना नैव सर्वदर्शनधर्मिणाम् । साम्यं विना प्रभोः प्राप्तिर्नाऽस्ति शुद्धात्मनः खलु ॥३३४॥
બધાં દર્શન અને ધર્મોવાળાઓની મુક્તિ સામ્ય વિના થતી જ નથી. ખરેખર સામ્ય વિના શુદ્ધાત્મરુપ પ્રભુની પ્રાપ્તિ થતી નથી. (૩૩૪)
साम्यमेव सतां धर्मः सात्त्विकप्रकृतेः परः । साम्योपयोगतो मुक्तिर्जीवन्मुक्तमहात्मनाम् ॥ ३३५ ॥
સામ્ય એ જ સપુરુષોની સાત્ત્વિક પ્રકૃત્તિનો શ્રેષ્ઠ ધર્મ છે. તેથી જીવન્મુક્ત મહાત્માઓની મુક્તિ સામ્યોપયોગથી થાય છે. (૩૩૫)
७
For Private And Personal Use Only