________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ग्राह्यत्याज्यप्रवृत्तिस्तु यदा प्रारब्धकर्मतः। स्यात्तदा स्वात्मनो मुक्तिीवन्मुक्तमहात्मनाम्॥२०१॥
જ્યારે ગ્રહણ કરવાની કે ત્યાગ કરવાની પ્રવૃત્તિ તો પ્રારબ્ધકર્મથી થાય, ત્યારે જીવનમુક્ત મહાત્માઓને પોતાના આત્માની મુક્તિ થાય છે. (૨૦૦૧)
प्रारब्धादन्तरा मोहं शाताशाताप्रवृत्तयः । सुखं दुःखं च जायेत योग्यकर्मव्यवस्थितिः ॥२०२॥
પ્રારબ્ધ વિના મોહ, શાતા અને અશાતાની પ્રવૃત્તિઓ તેમ જ સુખ અને દુઃખ ઉત્પન્ન થાય છે, કારણકે તેને યોગ્ય કર્મની વ્યવસ્થા છે. (૨૦૨)
समीभूय प्रवर्तस्व प्रारब्धसर्वकर्मसु । शुद्धोपयोगतः साक्षीभूय कर्म समाचार ॥२०३ ॥
પ્રારબ્ધ સર્વ કર્મોમાં તું સમભાવવાળો થઈને પ્રવૃત્તિ કર અને શુદ્ધોપયોગથી સાક્ષી બનીને કર્મ કર. (૨૦૩)
कोटिकोटिमहोपायैर्भोगात् सुखं न लप्स्यसे । आत्मन्येव सुखं पूर्ण ज्ञात्वा तत्र स्थिरो भव ॥२०४॥
કરોડો કરોડો મહાન ઉપાયો વડે પણ ભોગથી સુખ પ્રાપ્ત થશે નહીં. આત્મામાં જ પૂર્ણ સુખ છે – એમ જાણીને તું આત્મામાં સ્થિર થા. (૨૦૪)
क्षायोपशमिक प्रज्ञाध्यानचारित्रयोगतः। अनुभूतं परब्रह्म ज्ञानानन्दं मया मयि ॥२०५॥
ક્ષાયોપથમિક પ્રજ્ઞા, ધ્યાન અને ચારિત્રના યોગથી મારા વડે મારામાં જ્ઞાનાનંદરુપ પરબ્રહ્મ અનુભવાયેલ છે. (૨૦૫)
૪૧
For Private And Personal Use Only