________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सत्याऽऽत्मनि जगत्सर्वं भासते नाऽन्यथा कदा | यज्ज्ञानं तन्निजाऽऽत्मैव ज्ञानाऽऽत्मा भाषितः श्रुते ॥ १७६ ॥
જ્યારે આત્મા હોય, ત્યારે આખું જગત ભાસે છે, અન્યથા કોઈ સમયે નહીં. જે જ્ઞાન છે, તે પોતાનો આત્મા જ છે, માટે શ્રુતમાં તેને જ્ઞાનાત્મા કહ્યો છે. (૧૭૬)
दर्शनज्ञानचारित्रमनन्तशक्तिसंयुतम् ।
देहस्थं नित्यमाऽऽत्मानं मूढा जानन्ति नो स्वयम् ॥ १७७॥
દર્શન, જ્ઞાન અને ચારિત્રવાળા તથા અનંત શક્તિથી સંયુક્ત, દેહમાં રહેલા નિત્ય એવા આત્માને મૂઢ લોકો સ્વયં જાણતા નથી. (૧૭૭)
स्वाऽन्य प्रकाशकं ज्ञानं प्रत्यक्षं वेद्यते हृदि । तद्विज्ञानमयः स्वाऽऽत्मा स्वेनाऽनुभूयते स्वयम् ॥१७८॥
સ્વ અને પરને પ્રકાશિત કરનારું જ્ઞાન હૃદયમાં પ્રત્યક્ષ વેદાય છે. તેથી વિજ્ઞાનમય પોતાનો આત્મા જ સ્વયં પોતાના વડે અનુભવાય છે. (૧૭૮)
नयभङ्गप्रमाणैश्च यदाऽऽत्मा ज्ञायते हृदि ।
तदा प्रकाशते ज्ञानं सम्यक्छ्रद्धानपूर्वकम् ॥ १७९ ॥
જ્યારે નય, ભંગ અને પ્રમાણો વડે આત્મા હૃદયમાં જણાય છે, ત્યારે સમ્યગ્દર્શન પૂર્વક જ્ઞાન પ્રકાશે છે. (૧૭૯)
सर्वधर्मादिशास्त्राणां नयैः सापेक्षवेदिनाम् । सम्यग्दृष्टिमनुष्याणां ज्ञानं सम्यक्तया भवेत् ॥ १८० ॥
સર્વ ધર્મો વગેરેના શાસ્ત્રોને નયોથી સાપેક્ષ રીતે જાણનારા સમ્યગ્દષ્ટિ મનુષ્યોને સમ્યક્ષણાથી જ્ઞાન પ્રાપ્ત થાય છે. (૧૮૦)
૩૬
For Private And Personal Use Only