Book Title: Atma Avlokan
Author(s): Dipchand Shah Kasliwal
Publisher: Vitrag Sat Sahitya Trust Bhavnagar

View full book text
Previous | Next

Page 13
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૧ જો મિથ્યાત્વી જીવમાં વિકારી અવસ્થા જ ન થતી હોય તો તે જીવને દુ:ખ વેદાય છે ને તે શી રીતે વેદાય? માટે મિથ્યાત્વી જીવમાં વિકારી અવસ્થા થાય છે તેનું તેને દુઃખ વેદાય છે. આ ગ્રંથનું નામ “આત્માવલોકન' છે. તેનો ઉદ્દેશ એ છે કે આત્માનું અવલોકન કરવું. તો ત્યાં જીવની અવસ્થા વિકારી, અવિકારી શી રીતે થાય છે? તે પહેલાં જાણીએ. જ્ઞાનનો સ્વભાવ સ્વ અને પર બન્નેને જાણવાનો છે. જ્ઞાનનો જાણવાનો મૂળભૂત સ્વભાવ હોવાથી જ્ઞાનના જાણવાના પરિણામમાં પરવસ્તુઓ જણાય છે. ત્યાં જ્ઞાનમાં પરવસ્તુ જણાતાં, પરને પર ન માનતાં અજ્ઞાની જીવ પરને પોતારૂપ માની લે છે. ત્યારે પોતે જ સુખસ્વરૂપ છે એવું ભાન ન કરતાં અજ્ઞાનને કારણે વિકારરૂપે પરિણમીને જીવ પરમાં ઇષ્ટ કે અનિષ્ટ બુદ્ધિ કરીને સુખીદુઃખી થાય છે. પરને પોતારૂપ માનવું છોડીને જ્ઞાનના પરિણામ જ્યારે કેવલ એક શુદ્ધ જ્ઞાનરૂપે પરિણમે ત્યારે જીવની અવસ્થા શુદ્ધ થતાં, કેવલજ્ઞાન અને પરમ સુખાદિ પ્રગટે. આ રીતે પરને જાણવું તે દોષ નથી પણ પરને પોતારૂપ માની રાગી દ્રષી થવું તે જીવનો મહાન દુ:ખદાયક દોષ છે. આ લોક સ્થિતિ જ એવી છે કે તેમાં સત્યનું ભાવન કરવું પરમ વિકટ છે. રચના બધી અસત્યના આગ્રહની ભાવના કરાવવાવાળી છે. નિમિત્તના સદભાવમાં કાર્ય થતું દેખીને જીવ મિથ્થાબુદ્ધિથી એમ માની લે છે કે નિમિત્તથી કાર્ય થયું. ખરી હકીકત તો એ છે કે નિમિત્ત પરવસ્તુની અવસ્થામાં કાંઈ ફેરફાર કરી શકવા સમર્થ નથી એટલે કે નિમિત્ત પરવસ્તુની અવસ્થામાં ફેરફાર કરવામાં અકિંચિત્કર છે. કારણ કે Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 194