________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪
પરિણામ છે, મંદ કષાય તે પુણ્યના પરિણામ છે પણ બન્ને પરિણામો વિકાર જ છે. તેથી જ્ઞાની પુણ્ય-પાપરૂપી બન્નેય વિકારોને હેય જ જાણે છે. બન્નેય બંધરૂપ છે તેથી જે પુણ્ય-પાપના પરિણામથી મોક્ષ થવાની ઈચ્છા રાખે તે અજ્ઞાની છે. જે પોતે જ બંધસ્વરૂપ છે તેનાથી મોક્ષ કેમ થાય? ન જ થાય. આવી સીધી સાદી વાતનો પણ અજ્ઞાની જીવ સ્વીકાર કરતો નથી.
બંધભાવ તો વિકારી અવસ્થા છે, જીવનો મૂળ સ્વભાવ નથી.
સંવરપૂર્વક નિર્જરા થતાં થતા જીવનો ગુણવિકાર અને જીવનો પ્રદેશવિકાર તે સર્વથા નાશ થઈ જાય છે. જ્યારે વિકારભાવ સર્વથા નાશ થાય ત્યારે મોક્ષભાવ કહેવામાં આવે છે.
આ નવતત્ત્વરૂપી ચિત્વિકારમાં વ્યાપ્યવ્યાપક તો એક (કેવલ) જીવ જ થયો છે, બીજાં કોઈ દ્રવ્ય થયું નથી. જ્યાંસુધી આ જીવ વિકારરૂપે પ્રવર્તે છે ત્યાં સુધી જેવા પ્રકારના વિકારો પ્રગટે છે તે વિકારથી જીવ વ્યાપ્ય વ્યાપક છે. તે વિકાર અમૂર્તિક એકલા જીવના જ ભાવો છે. જીવથી અભેદ છે. તાત્પર્ય એ છે કે તે બધા વિકાર જીવ જન્ય છે.
જીવ જ્યારે પર્યાયમાં વિકારી થાય છે ત્યારે જીવનો મૂળ શુદ્ધ સ્વભાવ નાશ પામતો નથી, શક્તિપણે કાયમ રહે છે. જીવ જ તે શુદ્ધ સ્વભાવભાવને ભૂલીને ચેતનવિકારનો કર્તા થાય છે અને જીવ જ તે શુદ્ધ સ્વભાવનો આશ્રય કરીને ચેતનવિકારને ટાળે છે. દશ પ્રકારના પરિગ્રહાદિ જે પુદ્ગલસ્કંધો છે તેમને આ જીવ ક્યારેય સ્પર્શતો નથી. તે પુદ્ગલો સ્વયં આવે છે, સ્વયં જાય છે. પુદ્ગલો પોતે જ ખેલે છે. પણ આ જીવ વિકારરૂપે પરિણમીને “આ સર્વ કામ મેં કર્યો એમ માને છે કે જે પ્રત્યક્ષ જૂઠું છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com