Book Title: Arya Dharm Athva Vismi Sadina Ary ane Arya Ghadnar Sanskar
Author(s): Vadilal Motilal Shah
Publisher: Shakrabhai Motilal Shah

View full book text
Previous | Next

Page 26
________________ હજારો વર્ષથી ધરાયા નહિ અને હજીએ હિંદના ખૂણે ખૂણે એ જ નામ પર મારામારીઓ ચાલી રહી છે. હજારો વર્ષથી જે ન મેળવાયું તે હવે આ પંડિત અને ધર્મગુરૂઓ મેળવી આપવાના હતા ! વર્તમાનમાં જીવવાને બદલે ભૂત અને ભવિષ્યની કલ્પનાએમાં જ દેશને રમાડનારાં એ બાળકે હિંદ છોડે નહિ ત્યાં સુધી પોતાનું માનસ સ્વતંત્ર કરી શકે નહિ અને પિતાનું માનસ સ્વતંત્ર ન હોય તેવાઓ પરદેશીઓથી સ્વતંત્ર કટિ કાળે પણ ન થઈ શકે. સત્ય ? આ બધા શું સત્ય-અવ્યાબાધ સત્યનારા સત્યના ભક્ત છે ? એમને હા કહેવા દો : નગ્નસત્યના એ ભકતો માટે જ મહારા નગ્ન પ્રશ્નો છે : હમને જીવવું શા માટે પડે છે ? પ્રયત્ન છવો છો તો મરવાનો પ્રયત્ન કાં નથી કરતા ? આ જીવન તો પાપમય જ છે તો પછી જીવવાનો પ્રયત્ન શા માટે ? અંગ્રેજોને આ દેશ પર રાજ્ય નહિ કરવા દેવું અને હમારૂં જ રાજ્ય જોઈએ એમ શા માટે ? બધા ધર્મો ખોટા અને હમારે જ ધર્મ સાચે એમ શા માટે ? તપ જ ધર્મ છે તો ખાઓ છો શું કરવા? શીલ જ ધર્મ છે તે પરણે છે શું કરવા ? ધ્યાન જ પરમ સત્ય છે તે લાંબી સમાધિ જ કાં નથી કરી લેતા ? દાન જ ધર્મ છે તે લાખ્ખો કાળાધોળાં કરી એકઠા કરેલા અને દાટેલા-લાખો અન્ન વગર ભૂખે મરતા અડધા ભારતને કાં આપી નથી દેતા ? અહિંસા જ પરમ સત્ય છે તે સંથારે કાં નથી કરતા ? બધા ધર્મો એમના મહાપુરુષોની સેવામાં અનંતશક્તિવાળા દેવો આવતા હોવાનું કહે છે તે એ બધા દે આજે કાં દેશનો તે શું પણ એ ધર્મોને ય બચાવ કરવા નથી આવતા ? બધાએ ધર્મના સ્થાપકેને ત્રણ લોકના નાથ કહ્યા અને અનંત જ્ઞાન–શકિત તેમજ અનંત કરૂણ કહી તો આજે અથવા કોઈ કાળે આખી દુનિયા પર કે દુનિયાના હદય પર કોઈ એક ધર્મનું સામ્રાજ્ય કેમ ન થઈ શકું ? ભિખારાઓ જ સાધુ કેમ બને છે અને શ્રીમંત નહિ ? કાઇ રષોખડવો શ્રીમંત સાધુ થતું હોય છે તો અંગત મિલ્કતને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102