Book Title: Arya Dharm Athva Vismi Sadina Ary ane Arya Ghadnar Sanskar
Author(s): Vadilal Motilal Shah
Publisher: Shakrabhai Motilal Shah
View full book text
________________
આપણે કેણ ?
૩૯ સંસ્કાર”( Culture ) આપી તે પછી માન્યતાઓ ભૂલાવી દેતા. કારણ કે માણસને જરૂર છે સરકારની, નહિ કે માન્યતાની.
સંસ્કાર આપવા એ મનુષ્યના અંતઃકરણરૂપ જમીન પર કૃષિકાર્ય–ખેતી--કરવાનું કામ છે.
પ્રત્યેક આત્માને બે શરીર છે: એક, સ્કૂલ શરીર અને બીજી, સૂરમ શરીર.
સ્કૂલ શરીર તે પાંચ જ્ઞાનેન્દ્રિય અને પાંચ કર્મેન્દ્રિયો.
સૂક્ષ્મ શરીર તે અતઃકરણ, જેમાં મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર અથવા “હું” એવું વ્યક્તિત્વભાન જેમાં ચરિત્ર રહેલું છે તે.
સઘળી શક્તિએ આ ચાર સૂક્ષમ “કરણ”માં – અંતઃકરણમાં રહેલી છે. જ્ઞાનેન્દ્રિયે અને કર્મેન્દ્રિયને ચલાવનાર બળ અત:કરણમાં છે.
ખેત જમીનની ઉપર નહિ પણ જમીનના પેટમાં –અંતરમાં ખેતી કરે છે. તેમ જ શિક્ષક કે ધર્મગુરૂ પણ મનુષ્યના અંતઃકરણ પર જ ખેડાણ કરે છે અને ત્યાં સંસ્કાર નાખે છે, કે જે સંસ્કાર મુજબ જ મનુષ્ય જીવનનું દરેક વર્તન આપોઆપ થવા પામે છે.
અંતઃકરણ પર ઉંચા સંસ્કાર નાખવાની હિંદી કષિઓની કળાનિપુણતાને લીધે જ હિંદી હદ • ખેડાયલાં ” બન્યાં હતાં, અને તેથી જ તેઓ “આર્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com