Book Title: Arya Dharm Athva Vismi Sadina Ary ane Arya Ghadnar Sanskar
Author(s): Vadilal Motilal Shah
Publisher: Shakrabhai Motilal Shah

View full book text
Previous | Next

Page 42
________________ આપણે કોણ ? વહેતી–જીવતી–નિરંતર પ્રેરણા આપતી, નિરંતર રૂપ બદલતી રાખવામાં કુશળ હતા. એ ત્રાષિઓ હિંદી સ્ત્રી-પુરુષને દરેકની માનસિક સ્થિતિના પ્રમાણમાં ભિન્ન ભિન્ન માન્યતાઓ અને ભિન્ન ભિન્ન ક્રિયાકાંડ આપતા અને એક વાર આપેલી માન્યતાઓ અને ક્રિયાકાંડથી થવું જોઈને બુદ્ધિવિકાસ થયા પછી જૂદી જ માન્યતા અને જુદે જ ક્રિયાકાંડ આપતા અને એમ ક્રમે ક્રમે તેઓને વિકાસ કરી આપતા. સઘળી માન્યતાઓ અને સઘળા ક્રિયાકાંડ ઇલાજ તરીકે, સાધન તરીકે, પગથીઆ તરીકે શિખવાતાં, નહિ કે છેવટના સત્ય તરીકે. એક પગથીઆ પરમનુષ્યને પગ દ્ધ થયો એટલે તેને ઉપલે પગથીએ જવાની પ્રેરણું કરવા માટે નવી જ માન્યતા અને નવી જ કિયા શિખવતા. કઈ પણ એક પગથીઆ પર મનુષ્ય સ્થિર થઈ બેસે તે વહેમી કે ધર્મઝનુની બની જાય એ તેઓ બરાબર હમજતા હતા તેથી દરેકને “એ નહિ, એ નહિ” એમ કહી આગળને આગળ ધકેલતા હતા –પ્રગતિ કરાવતા હતા; અને જ્યારે પુરુષ કે સ્ત્રીમાં જ્ઞાનશક્તિ અને ક્રિયાશક્તિ બરાબર પ્રકટતીએટલે કે “વ્યક્તિત્વ” પ્રકટતું––ત્યારે હેને સ્વતંત્ર વર્તન કરવા દેતા. એથી જ હિંદમાં સેંકડે ધર્મો અને હજારે માન્યતાઓ જોવામાં આવે છે. ધર્મના મૂળ આશયને નહિ હમજનારાઓ આજે એમ ભય બતાવે છે કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102