Book Title: Arya Dharm Athva Vismi Sadina Ary ane Arya Ghadnar Sanskar
Author(s): Vadilal Motilal Shah
Publisher: Shakrabhai Motilal Shah
View full book text
________________
+ तप
તપ એટલે તપાવવું તે.
કોને તપાવશે? શરીર અને મનને.
શરીરને શા માટે તપાવશે? અને કેમ તપાવશે? સઘળા રોગોનું મૂળ કારણ હાજરીમાં ભરાયેલો કચર છે. હોજરીમાં રાક નાખતા બંધ થાઓ તે તે પોતાની રહીસહી અગ્નિ કચરાને બાળવાના કામમાં વાપરે છે. કચરો બળી જવાથી તે પ્રદિપ્ત થાય છે અને પછી જે ખોરાક ખાવામાં આવે હેને બરાબર પચાવી લેહી કરી મગજ વગેરે જગાએ મોકલી આપે છે. તેથી જ્યારે પણ અપચો કે અપચાથી થતે કઈ રેગ થાય ત્યારે કે પણ ખોરાક ન લેવાનો નિશ્ચય કરવો એ તપ છે.
રાક લેવાથી ટેવાયેલી ઈન્દ્રિયે એ વખતે પિકાર કરશે અને મન કૂદાકૂદ કરશે, તે વખતે બુદ્ધિએ મજબૂત થઈને એમને ચૂપ કરવી જોઈશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com