Book Title: Arya Dharm Athva Vismi Sadina Ary ane Arya Ghadnar Sanskar
Author(s): Vadilal Motilal Shah
Publisher: Shakrabhai Motilal Shah
View full book text
________________
વા. મ. શાહ કૃત મળી શક્તાં પુસ્તક અને અભિપ્રાયે ૮૫
લેખકની વિચારસરણી, ભાષાનું ઓજસ અને તાત્વિક વીરતા તથા નીતિને ખ્યાલ આટલા ઉતારા પરથી આવી શકશે. અલબત્ત, તેમાં પંક્તિએ પંક્તિએ વીરતા ભરી છે, પરંતુ એ વીરતા પચાવવાનું કાર્ય સામાન્ય જનતા માટે મુશ્કેલ છે. “શક્તિ ઉભરાઈ જવાનો ખેલ તે જ સખાવત છે” એવી “સખાવત” ની સામાન્ય વ્યાખ્યા ભય ઉપજાવે તેવી છે, પરંતુ વસ્તુતઃ તેમ નથી. જેઓ “વીર” છે, “યુદ્ધના સંતાને' છે, તેમને માટે એ સ્વાભાવિક છે, અન્યત્ર તે તુચ્છતા છે. આ પ્રકારના વિવેકપૂર્વક જ જે આ કાવ્ય સમજવામાં આવે તે જ તેમાંની વિચારસરણ ઉપકારક નીવડી શકે તેમ છે. ખરેખર, પોતાના હૃદયમાં જળતી સત્યની જવાળાજ લેખકે પિતાની વાણીના ધગધગતા -તરંગમાં ઉતારી છે.
તા. ૬-૮–૩૩ સાહિત્ય:-ગુન્હો એટલે શું એ એના પરમ સ્વરૂપમાં જાણવું હોય તો આ નાનો નિબંધ વાંચો. પ્રાયશ્ચિત્તને અર્થ પણ સમજાશે. જેમ ગુન્હાની નવી ફિલસુફી એમાં છે, તેમ વાક્યોને અજબ બળ અર્પે એવી મિતાક્ષરી કે સુત્રાત્મક કે પ્રશ્નાત્મક ભાષા તમને જરૂર આર્કસશે.
હિંદુસ્તાન અને પ્રજામિત્ર:–એમાં વાડીલાલની ભાષાની ભભક એના પૂર બહારમાં છે. કેટલાક વિચારો નોંધવા સરખા છે.
Eસગાળશા શેઠ અને કેલૈ કુમાર = પ્રથમ આવૃત્તિ, સન ૧૯ર ઃ મૂલ્ય-બે આના.
સાંજ વર્તમાન –જાણીતા વિચારક, વિવેચક. ફીલ્સફ અને લેખક શ્રી વાડીલાલ મોતીલાલ શાહે પોતાની લાક્ષણિક શૈલીમાં આ ચેપડીમાં સગાળશા શેઠ અને કેલઈયા કુમારની કથા
આલેખી છે. કથા છે કે નાની છે પણ તે ઉડી અને સમજવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com