Book Title: Arya Dharm Athva Vismi Sadina Ary ane Arya Ghadnar Sanskar
Author(s): Vadilal Motilal Shah
Publisher: Shakrabhai Motilal Shah
View full book text
________________
આર્યધર્મ : લેખક, વા. મ. શાહ કે અપાતું માન જ કિંમતવાળું છે : એથી જોઈ શકાય છે કે આપણે કેટલા ટકા વિકાસ સાધી શકયા છીએ.
માન એ ગુણોની સુગંધ છે.
ગુણ કેઈ ક્ષણિક કલ્પના નથી, પણ અંતકરણની શકિત છે.
ગુણોની ગેરહાજરી હોય ત્યાં જ અને માત્ર ત્યાં જ માનની ઈચ્છા હોય.
મનુષ્યના મોટા ભાગમાં પુરુષે તેમ જ સ્ત્રીઓમાં ગુણેની એટલે અંતઃકરણના બળોની ગેરહાજરી હોય છે. તેથી એમની પસંદગીઓ અને નાપસંદગીની કશી કિંમત નથી –એક “આર્ય” કે “આર્યાની દષ્ટિએ.
ક્રોડ સ્વમાન વગરના લેકે વખાણે અને એક સ્વમાનવાળે મનુષ્ય ખેડે ત્યારે સમજવું કે આપણું જીવન આર્ય જીવનથી કંઈક ઉતરતું હોવું જોઈએ.
કોડ સ્વમાન વગરના લેકે વડે કે નિદે અને એક સ્વમાનવાળે મનુષ્ય પ્રસન્ન થાય ત્યારે સમજવું કે આપણે ખર રસ્તે છીએ.
લેકે ના માન-અપમાન બનેથી બચવું હોય તેણે સ્વમાનની માત્રા દિનપ્રતિદિન વધારતા જવું ઃ તે જ સમતોલપણું રહી શકશે.
જે કાંઈ વિચારો કે કરે છે એવું હોવું જોઈએ કે જેથી હમારું સ્વમાન વધવા પામે.
ભલાઈ પણ માન માટે નહિ પણ સ્વમાન માટે જ કરે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com