Book Title: Arya Dharm Athva Vismi Sadina Ary ane Arya Ghadnar Sanskar
Author(s): Vadilal Motilal Shah
Publisher: Shakrabhai Motilal Shah
View full book text
________________
आर्य धर्म આર્ય ધર્મ એટલે આત્માની ઢંકાયેલી, દબાયેલી
શક્તિઓને પ્રકટાવનારી તાલીમ. આત્માની શક્તિઓ અંતઃકરણમાં રહે છે. અંત:કરણ એટલે અંદરના કરણ અથવા યંત્ર. અંદરના યંત્રે ચાર છે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. બહારના યંત્રો આંખ, કાન, નાક, જીભ અને ત્વચા છે. એ પાંચ યંત્રને ગતિમાન કરનાર મન છે. મનને માર્ગ સૂચવનાર–હિતાહિતની સલાહ આપનાર બુદ્ધિ છે. બુદ્ધિને પ્રકાશ આપનાર ચિત્ત છે. ચિત્તમાં રહેલી વાતને ક્રિયાશકિત આપનાર અહંકાર
અથવા “હુંપણું–ચારિત્ર છે, એજ નિશ્ચયબી છે. આર્યા તે છે કે જેનામાં નિશ્ચયબળ ખિલ્યું હાય. નિશ્ચયબળ એ કોઈ નરી ઈચ્છા નથી, ચિત્તના પ્રકાશવાળી બુદ્ધિથી મનની ગતિ પર અંકુશ ધરાવ એ જ નિશ્ચયબળ (will ) છે.
મનને હુકમ આંખ-કાન-જીભ વગેરે ઈન્દ્રિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com