Book Title: Arya Dharm Athva Vismi Sadina Ary ane Arya Ghadnar Sanskar
Author(s): Vadilal Motilal Shah
Publisher: Shakrabhai Motilal Shah
View full book text
________________
૫૬
આર્યધર્મ ઃ લેખક, વા. મ. શાહ ખાવુંપીવું, પહેરવું, જેવું બધું જરૂરનું છે,એટલા માટે કે એથી રક્ષા ને વિકાસ થાય. પણ જે મનુષ્ય ખાવા-પીવા–પહેરવા–જેવા માટે જ જીવે છે તે મનને ગુલામ છે. હેની બુદ્ધિ, ચિત્ત, વ્યકિતત્વ છેક જ દબાયલાં છે, તે જાનવર છે.
“ જાનવર” થી દાન થાય જ નહિ. દાન દેવ-દેવીથી જ થઈ શકે.
પૈસાની ગુલામી, માજશેખની ગુલામી, હૃદય વગરની બુદ્ધિની ગુલામી : એટલી ચીજે દાન કરવા દેતી નથી.
જેણે દાનગુણુ ખિલજો નથી હેનાથી શીલ, તપ અને ભાવના થઈ શકે જ નહિ. સહેલામાં સહેલે ગુણ દાન ગુણ છે. સઘળા ગુણેને પાયે દાન ગુણ છે.
સાવધાન ! ધ કે પાખંડી લોકોને દાન કરશે તે આખા મનુષ્યસમાજમાં દ્રોહ કરવાનું પાપ થશે.
સાવધાન ! દાનને ઘમંડ કરશે તે વ્યક્તિત્વને નાશ કરી બેસશેઃ ખેટને સદે થશે !
સાવધાન ! દાન કે શીલ–તપાદિ જે કાંઈ કરે તે પોતાના જ અંતઃકરણની શુદ્ધિ અર્થે – પોતાના જ વ્યકિતત્વની ખિલવટ માટે–પોતાના જ આનંદ ખાતરકરજે–પરોપકાર” હમજીને નહિ.
લોકોની વાહવાહ ઘડીભરની છે, પચાસ ચરીને પાંચનું દાન કરનારની પણ લોકો તો વાહવાહ કરે છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com