Book Title: Arya Dharm Athva Vismi Sadina Ary ane Arya Ghadnar Sanskar
Author(s): Vadilal Motilal Shah
Publisher: Shakrabhai Motilal Shah
View full book text
________________
પર
આર્યધર્મ: લેખક, વા. મે. શાહ દુઃખી તરફ મનથી અનુકમ્મા કરવી એ દાન છે.
કેઈનું દુઃખ ટળે કે ઓછું થવા પામે એવી સલાહ આપવી એ દાન છે.
દુઃખીને દિલાસો મળે કે હિમ્મત મળે કે ઘડીભર દુઃખને વિસારે થાય એવું બોલવું એ પણ દાન છે.
ભૂખ્યા-તરસ્યાને અન્નજળ આપવું એ દાન છે. વિદ્યાદાન પેટે આપવું કે અપાવવું એ દાન છે. રસ્તે ચૂકેલાને માર્ગ બતાવ એ દાન છે.
લોકહિતના સુવ્યવસ્થિત કાર્યમાં દ્રવ્યથી, સિફારસથી કે જાતમહેનતથી ફાળો આપે એ દાન છે.
બીમારની માવજત કરવી-કરાવવી એ દાન છે.
ઘર, આંગણું, પળ, ગામ સાફ રાખવું–રખાવવું એ સાર્વજનિક દાન છે.
જાતિમાંથી હાનિકારક રૂઢિઓ અને અજ્ઞાન દૂર થાય એવી પ્રવૃત્તિ કરવી કે કરાવવી તથા એવી પ્રવૃત્તિ કરનારને અનુમોદન તથા યથાશક્તિ સહકાર આપે એ દાન છે.
સુખી કે જ્ઞાનીને જેઈમનમાં ખુશી થવું એ દાન છે.
પોતાને દરરોજ કાંઈક નવું જ્ઞાન કે અનુભવ મળે એવી કાળજી રાખવી એ સ્વદયા અથવા શ્રેષ્ઠ દાન છે.
* દાન માટે શ્રીમંત થવાની રાહ જોવી નહિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
WWW.umaragyanbhandar.com