Book Title: Anubhav Prakasha Pravachan
Author(s): Dipchand Shah Kasliwal, Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
View full book text
________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
૬ ]
[ શ્રી અનુભવ પ્રકાશ
સ્વરૂપ માને છે તે માન્યતા કર્મને લીધે થઈ નથી વર્તમાન દશામાં પોતાને ૫૨ના અસ્તિત્વમાં માની સ્વરૂપને ભૂલી ગયો છે, માટે ઊલટી દશા થઈ છે. પુણ્ય-પાપ પર્યાયમાં પોતે કરી રહ્યો છે, કોઈએ કરાવેલ નથી. પોતે સહજ આનંદ સ્વભાવવાળો હોવા છતાં પોતાની સંભાળ ન કરતાં પરને પોતાનું માની રહ્યો છે. શરીર, દીકરા, મકાન વગેરે બાહ્ય સંયોગો જીવની પર્યાયમાં આવતા નથી, જીવ માત્ર કલ્પના-રાગ કર્યા કરે છે. ૫૨માં પોતાને માની સ્વરૂપને ભૂલી રહ્યો છે. તે જ પરિણામ સુલટાવી પોતા તરફ વાળતાં મુક્તદશાને પામે. તે જ પરિણામ એટલે કે પર્યાયમાં જે ઊંધા પરિણામ કરી રહ્યો છો તેને સવળા કર-એમ કહે છે. દ્રવ્ય-ગુણ વળતા નથી, તે તો કૂટસ્થ છે. પણ વર્તમાન પરિણામ ૫૨ તરફ વળે છે તેને સ્વભાવ તરફ વાળી શકાય છે. આત્મા અનંત ગુણોના પિંડસ્વરૂપ છે તેને પોતાનો માનવો ને ૫૨નું વિસ્મરણ કરવું. ( કોઈ કરાવે એમ કહ્યું નથી. ) આમ જો જીવ કરે તો આત્માની પરમાનંદ દશા પ્રગટ થાય.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com