________________
ઉપોદ્ઘાત નિ ૨૦૭
દેશી શબ્દ છે તેનાથી વસ્ત્ર શિલ્પ લેવું. કાશ્યપ-વાણંદનું શિલ્પ લેવું. આ એક એક શિલ્પના ૨૦-૨૦ ભેદો થાય છે. [અહીં પૂ. મલયગિરિજી કૃત્ ટીકામાં સુંદર સ્પષ્ટીકરણો છે, કે પાંચે શિલ્પની ઉત્પત્તિ શા માટે થઈ ?
હવે બાકીના દ્વારોના પ્રતિપાદન માટે ભાષ્યકાર કહે છે – • ભાષ્ય-૧૨ થી ૩૦ :
[૧૨] કૃષિ વાણિજ્યાદિ કર્મ કહેવાય, પરિગ્રહમાં મમતા તે મામણા કહેવાય, પૂર્વે દેવોએ ભગવંતની જે વિભૂષા કરી તે ખંડના કહેવાય. [૧૩] બ્રાહ્મીને જમણા હાથે ભગવંતે લિપીવિધાન શિખવ્યું અને ડાબા હાથે સુંદરીને ગણિત બતાવ્યું. [૧૪] ભરતને રૂપકર્મ, બાહુબલીને મનુષ્યોના લક્ષણાદિ કહ્યા. માન, ઉન્માન, અવમાન, પ્રમાણ, ગણિમાદિ પાંચ પ્રકારે માન છે. [૧૫] મણિ આદિને દોરામાં પરોવવા, સમુદ્રમાં વહાણો વહાવવા, વ્યવહાર લખવો, કાર્ય જાણવા માટે લેખાદિ મોકલવા તે વ્યવહાર જાણવો.
૧૪૫
[૧૬] હકાર આદિ સાત પ્રકારની નીતિ છે અથવા શામ આદિ ભેદો છે. બાહુ આદિ યુદ્ધો અને લાવકાદિ પંખીના યુદ્ધો છે. [૧૭] બાણશાસ્ત્ર, ધનુર્વેદ, દાઢી-વાળ-નખ આદિનું છેદન તે ઉપાસના અથવા ગુરુ અને રાજાદિની પર્યાપારાના તે ઉપાસના છે. [૧૮] રોગ દૂર કરવા ચિકિત્સા, અર્થ - ધન ક્યાંથી આવે તેવી માહિતીવાળા શાસ્ત્ર, નીતિશાસ્ત્ર, કેદીના નિયમ અને બંધ, અપરાધીને બેડીમાં નાંખવા, દંડાદિ વડે ઘાત કરવો. [૧૯] મારવા વડે જીવવધ, યજ્ઞો, નાગાદિની પૂજા, ઈન્દ્રાદિ મહોત્સવો પ્રાયઃનિયત હોય છે.
- x -
[૨૦] સંઘ-સમાજ ભેગો થયો, મિત્ર-સગાસંબંધીનું મળવું, ગામના મુખીનું મિલન, કોઈ ઉદ્દેશથી એકઠાં થવું, પીળા સરસવાદિ માંગલિક વસ્તુની પ્રવૃત્તિ થઇ. [૨૧] સહુથી પહેલાં કૌતુક-રક્ષાદિ, વસ્ત્ર, ગંધમાલા આદિ માલ્સ, અલંકાર, કેશભૂષા વગેરે દેવોએ ભગવંતની કરી. [૨] તે જોઈઓ લોકો અલંકાર વિધિમાં પ્રવૃત્ત થયા, ચૂડાકર્મ વિધિ, બાબરી-ચોટીમાં પ્રવૃત્ત થયા. [૨૩] બાળકોને ગુરુ પાસે ભણવા મોકલવા, પછી સાધુ પાસે ધર્મ ગ્રહણ કરી શ્રાવક થવું, કેટલાંક દીક્ષાને પણ ગ્રહણ કરે છે.
[૨૪] જિનેશ્વરનો વિવાહ જોઈને લોકોમાં પણ વિવાહનો આરંભ થયો. પિતાદિએ આપેલ કન્યા પરણવાની પ્રવૃત્તિ થઈ. [૨૫] ઋષભદેવને દાન આપતાં જોઈને દાનની પ્રવૃત્તિ થઈ અથવા જિનને ભિક્ષા લેતા જોઈને ભિક્ષા લેવાની પ્રવૃત્તિ થઈ. [૨૬] મરુદેવા માતા પ્રથમ સિદ્ધ થયા. તેનું મૃતક દેવોએ પહેલાં પૂછ્યું અને અગ્નિ સંસ્કાર કર્યો ત્યાંથી તે પ્રવૃત્તિ શરૂ થઈ.
જિનેશ્વરના દેહાદિનો અગ્નિસંસ્કાર કર્યો, ચિતાના સ્થાને સ્તૂપો કર્યા, રૂદનનો શબ્દ દેવોએ કર્યો, લોકમાં પણ તેવી પ્રવૃત્તિ થઈ. [૨૮] હર્ષથી હસવું, બાલક્રીડા, ચીત્કાર, ઘુંઘરીનો અવાજ, કાર્યની પૃચ્છા આદિ અથવા [૨૯] નિમિત્તાદિ પૂછવા, સ્વનાદિ પૂછવા, સુખશાતાદિ પૂછવા, એ બધું ઋષભદેવના કાળમાં
31/10
૧૪૬
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧
પ્રાયઃ ઉત્પન્ન થયેલું. [૩૦] કંઈક ભરતના કાળમાં અને કંઈક કુલકરના કાળમાં પણ ઉત્પન્ન થયું. પ્રભુના દર્શાવવાથી સર્વે કળા-શિલ્પ અને કર્યો ઉત્પન્ન થયા. • વિવેચન-૧૨ થી ૩૦ :
આ બધું સ્પષ્ટ હોવાથી વિશેષ વ્યાખ્યા કરતી નથી. [નિયુક્તિ દીપિકામાં કોઈકોઈ ભાષ્યની વ્યાખ્યા મળે છે, પણ તે પ્રાયઃ અહીં કહેવાઈ ગઈ છે. • નિયુક્તિ-૨૦૮+વિવેચન :
ઋષભદેવના ચસ્ત્રિ અધિકારમાં અજિતાદિ બધાં જિનેશ્વરોનું સામાન્યથી સંબોધનાદિ ઋષિ શબ્દથી પરિત્યાગાદિ પણ લેવા, તે કહીને એકલા ઋષભદેવનું
વક્તવ્ય કહીશ.
• નિયુક્તિ-૨૦૯ થી ૨૧૧ -
અરિહંતોનું સંબોધન, ત્યાગ, પ્રત્યેક, ઉપધિ, અન્યલિંગ, કુલિંગ, ગ્રામ્યાચાર, પરીષહ... જીવાદિનું જ્ઞાન, શ્રુતનું જ્ઞાન, પ્રત્યાખ્યાન, સંયમ, છાસ્થ, તપોકર્મ, જ્ઞાનોત્પાદ, સંગ્રહ... તીર્થ, ગણ, ગણધર, ધર્મોપાય, ઉપદેશક, યિ, અંતક્રિયામાં કોનો કેટલો તપ થયો ? આ ૨૧-દ્વારો કહ્યા.
• વિવેચન-૨૦૯ થી ૨૧૧ :
(૧) બધાં જ તીર્થંકરો સ્વયંબુદ્ધ હોય છે, તો પણ પોતાનો આચાર સમજીને લોકાંતિક દેવો બધાં તીર્થંકરોને સંબોધન કરે છે. (૨) પરિત્યાગ-ત્યાગ વિષયક વિધિ કહેવી. ભગવંત ચાસ્ત્રિ સ્વીકાર પૂર્વે શેનો ત્યાગ કરે છે ? (૩) પ્રત્યેક - કેટલા પરિવાર સહિત દીક્ષા લેવા નીકળ્યા ? (૪) ઉપધિવિષયક વિધિ કહેવી. કોના વડે શિષ્યોને કઈ ઉપધિની અનુજ્ઞા અપાઈ ? કઈ ઉપધિ સેવી ? (૫) અન્યલિંગ - સાધુલિંગ સિવાયનું અને કુલિંગ-તાપસ આદિ લિંગ, તેમાં તીર્થંકરો અન્યલિંગે પણ ન નીકળે કે કુલિંગે પણ ન નીકળે પણ તીર્થંકર લિંગે જ નીકળે છે.
(૬) ગ્રામ્યાચાર ઈન્દ્રિય વિષયો, (૭) પરીષહ - ભુખ, તરસ આદિ, આ બંનેની વિધિ કહેવી. કુમારાવસ્થામાં દીક્ષિતે વિષયો ન ભોગવ્યા, બાકીનાએ ભોગવ્યા. પરીષહો બધાંએ જીત્યા. આ પહેલી ગાથા.
હવે બીજી ગાથા (૮) જીવોપલંભ એટલે બધાં તીર્થંકરોએ નવે જીવ આદિ પદાર્થો કહ્યા. (૯) મ્રુતલાભ - પૂર્વભવમાં પહેલાં તીર્થંકરે બારે અંગો અને બાકીના ૧૧-અંગો ભણ્યા. (૧૦) પ્રત્યાખ્યાન - પહેલાં છેલ્લાને પાંચ મહાવ્રત રૂપ અને મધ્યમનાને ચાર મહાવ્રત રૂપ હતા. કેમકે મૈથુન પરિગ્રહમાં આવે. (૧૧) સંયમ પણ પહેલાં-છેલ્લાને સામાયિક અને છેદોપસ્થાપના રૂપ બે ભેદે. વચ્ચેના બધાંને સામાયિક રૂપે અથવા બધાંને ૧૭ પ્રકારનો.
-
-
(૧૨) છાસ્થ - છાદન કરે તે છા - કર્મ, તેમાં રહેલાં તે છાસ્ય. કોણ કેટલો કાળ છદ્મસ્થ રહ્યું ? (૧૩) તપોકર્મ - કોને કેટલો તપ હતો તેનું કથન. (૧૪) જ્ઞાનોત્પાદ, કોને કયા દિવસમાં કેવળજ્ઞાન થયું ? (૧૫) સંગ્રહ-શિષ્યાદિ સંબંધી. આ બીજી દ્વાર ગાથા કહી.