Book Title: Agam 40 Avashyaka Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 440
________________ - ૪/ર૯, નિ - ૧૩૫૯, ભા. ૨૨૩ ધે આ સ્થાનો દવના અગ્નિ આદિથી બળી જાય અથવા પાણીના પ્રવાહ વડે તે માર્ગ વહાઈ જાય, તે ગામ કે નગરે પોતે અથવા ગૃહસ્થ વડે શોધિત બાકીના સ્થાનો અથવા જે ગૃહસ્થો ન શોધેલ હોય તે સ્થાને પછી સાધુઓ રહ્યા હોય, પોતાની વસતિની ચોતરફ શોધતા જે દેખાય તે તજીને અથવા અર્દષ્ટ હોય, તેમાં ત્રણ દિવસ ઉદ્ઘાટન કાયોત્સર્ગ કરીને અશઠ ભાવે સ્વાધ્યાય કરે છે. શારીરમ્રામ પશ્ચાદ્ધ આ વિભાષા છે – “શરીર' એટલે મૃતનું શરીર યાવતું લઘુગ્રામમાં નિકાશિત ન કરેલ હોય, ત્યાં સુધી સ્વાધ્યાય ન કરે. હવે નગરમાં કે મોટાગ્રામમાં ત્યાં વાડાથી કે શાખાથી જ્યાં સુધી નિકાશિત ન કરેલ હોય, ત્યાં સુધી સ્વાધ્યાયનો ત્યાગ કરે જેથી લોકો તેમને નિખા - દુ:ખ કે અનુકંપા વગરના ન કહે. તેથી જ ભાષ્યકાર કહે છે – • ભાષ્ય-૨૨૩ + વિવેચન : લઘુ ગામમાં મૃતકને જ્યાં સુધી લઈ ન જાય, ત્યાં સુધી સ્વાધ્યાય ન કરે. મોટા નગર કે ગામમાં વાડા કે શાખાથી ન કાઢે ત્યાં સુધી સ્વાધ્યાય પરીહરે. ચોદક કહે છે - સાધુની વસતિની સમીપે મૃતક શરીરના લઈ જવાતા જો પુષ-વસ્ત્રાદિ પડે તો અસ્વાધ્યાયિક. આચાર્ય કહે છે કે – • નિર્યુક્તિ-૧૩૬૦-વિવેચન : મૃતકશરીર વસતિના ઉભયથી સો હાથમાં જેટલામાં લઈ જવાય ત્યાં સુધીમાં તે અસ્વાધ્યાયિક. બાકીની પરવચન ભણિત પુષ્પાદિનો પ્રતિષેધ કરવો અર્થાત્ અસ્વાધ્યાયિક ન થાય. જેનાથી શરીર અસ્વાધ્યાયિક ચાર ભેદે છે – લોહી, માંસ, ચર્મ અને હાડકાં, તેથી તેમાં સ્વાધ્યાય વર્જવો ન જોઈએ. • નિર્યુકિત-૧૩૬૧-વિવેચન : આ સંયમધાતાદિક પાંચ પ્રકારે અસ્વાધ્યાયિક કહેલ છે. તે જ પાંચ વડે વર્જિત સ્વાધ્યાય થાય છે. ત્યાં તે સ્વાધ્યાયકાળમાં આ વર્ચમાણ - કહેવાનાર ‘મેરા’ - સામાચારી પ્રતિક્રમીને જ્યાં સુધી વેળા ન થાય, ત્યાં સુધી કાળ પ્રતિલેખના કરવામાં ગ્રહણકાળમાં પ્રાપ્ત ગંડકનું દટાંત થશે અને ગ્રહણ કર્યા પછી શુદ્ધ કાળમાં પ્રસ્થાપન વેળામાં મટુકનું દૃષ્ટાંત આવશે. શા માટે કાળગ્રહણ ? તેનો ઉત્તર આપે છે – • નિર્યુક્તિ-૧૩૬૨-વિવેચન - સંયમ ઘાતાદિકને પાંચ પ્રકારે અસ્વાધ્યાય છે, તેના પરિજ્ઞાન અર્થે કાળવેળાને જુએ છે અર્થાત નિરૂપમ કરે છે. કાળ નિરૂપણીય છે. કાળના નિરૂપણ વિના પંચવિધ સંયમઘાતાદિને ન જાણે. જો ગ્રહણ કર્યા વિના સ્વાધ્યાય કરે તો “ચતુર્લg” પ્રાયશ્ચિત્ત કહેલ છે. તે કારણથી [34/6] ૮૨ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ કાળ પ્રતિલેખનામાં આ સામાચારી છે – દિવસની છેલ્લી પોરિસિમાં ચોથા ભાગ બાકી રહે ત્યારે કાળગ્રહણ સંબંધી ત્રણ ભૂમિનું પ્રતિલેખન કરવું જોઈએ. અથવા ત્રણ ઉચ્ચાર પ્રશ્રવણ કાળભૂમિઓ છે, એમ ગાવાઈ છે. • નિયુક્તિ-૧૩૬૩-વિવેચન : મંત - એટલે નિવેશનની ત્રણ ઉચ્ચારની અધ્યાસિત સ્થંડિલનીકટ, મધ્ય અને દર, એ ત્રણને પડિલેહે. અનધ્યાસિત સ્થંડિલો પણ અંતરથી જ ત્રણને પડિલેહે. આ પ્રમાણે અંત:સ્પંડિલ છ થાય છે. નિવેશનથી બહાર પણ છ ચંડિત થાય છે. આમાં પણ અધ્યાસિતને દૂરતર અને અનધ્યાસિતને આસન્નતર કરવી જોઈએ. • નિયુક્તિ-૧૩૬૪-વિવેચન : પ્રશ્રવણમાં આ જ ક્રમથી બાર, એ પ્રમાણે કુલ ચોવીશ ભૂમિને ત્વરિત અસંભ્રાંત ઉપયુક્ત થઈને પડિલેહણ કરીને પછી ત્રણ કાલગ્રહણ-સ્પંડિલનું પ્રતિલેખન કરે છે. જઘન્યથી હસ્તાંતરિતને પડિલેહે. હવે અનંતર અંડિલ પ્રતિલેખના યોગ પછી જ સૂર્યાસ્તમાં તે આવશ્યક કરે છે. તેની આ વિધિ છે – • નિયુક્તિ-૧૩૬૫-વિવેચન : હવે સૂર્ય અસ્ત થવાના અનંતર જ આવશ્યક કરે છે. “પુનઃ' શબ્દ વિશેષણમાં છે. બે પ્રકારે આવશ્યક કરણને વિશેષિત કરે છે - તિવ્યઘિાત અને વ્યાઘાતવતું. જો નિવ્યઘિાત હોય તો બધાં ગુરુ સહિત આવશ્યક કરે છે. હવે ગુરુ શ્રાવકોને ઘમ કહે છે. ત્યારે આવશ્યકને સાધુની સાથે કરણીયમાં વ્યાઘાત થાય છે. જે કાળમાં તે કરવા યોગ્ય છે, તે ઘટાડતા વ્યાઘાત કહેલ છે. પછી ગુરુ અને નિપધાધર પછી ચાસ્ત્રિના અતિચાર જ્ઞાનાર્થે કાયોત્સર્ગમાં રહે છે. • નિયુક્તિ-૧૩૬૬-વિવેચન : બાકીના સાધુઓ ગુરને પૂછીને, ગુરુ સ્થાનની પાછળ, નજીક, દૂર સનિકના ક્રમે, જેનું જ્યાં સ્થાન છે, તે સ્વસ્થાન કહેવાય. ત્યાં પ્રતિક્રમવું જોઈએ, આ સ્થાપના - ગરની પાછળ રહેલો, મધ્યમાંથી જઈને સ્વસ્થાને રહે. જેઓ ડાબી બાજુ હોય, તે અનંતર સત્રથી જઈને સ્વસ્થાને રહે. જે દક્ષિણમાં હોય તે અનંતર અપસવ્યથી જઈને રહે, ત્યાં અનાગત સૂત્રાર્થ મરણના હેતુથી રહે છે, ત્યાં પૂર્વેથી રહેલા “કરેમિ ભંતે" એ સામાયિક સૂત્ર કરે છે. પછી જ્યારે ગુરુ સામાયિક કરીને ‘વોસિરામિ' એમ બોલે અને કાયોત્સર્ગમાં રહે ત્યારે દૈવસિક અતિચારને ચિંતવે છે. બીજા કહે છે - જ્યારે ગુરુઓ સામાયિક કરે છે, ત્યારે પૂર્વે રહેલ હોય તો પણ તે સામાયિક કરે છે. બાકી સુગમ છે.

Loading...

Page Navigation
1 ... 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512