________________
ઉપોદ્દાત નિ ૪૭૪
૨૧૫ • વિવેચન-૪૩૪ :વૃત્તિકારશ્રીએ પણ અહીં પદો જ નોંધેલ છે. કથા પૂર્વે કહી છે. • નિયુક્તિ -૪૩પ :
બ્રાહાણ ગામમાં નંદ અને ઉપનંદ, તેજ, પાઈ, ચંપા, પ્રભુનો ભેમાસીનો તપ, ચોમાસુ, મુનિ ખમે છે.
• વિવેચન-૪૭૫ - પદો કહ્યા. આના પદોનો અર્થ કથાનક વડે જાણવો. તે આ -
ત્યારપછી ભગવંત બ્રાહ્મણગ્રામે ગયા. ત્યાં નંદ અને ઉપનંદ બે ભાઈઓ હતા. ગામમાં બે પાળા હતા. એક નંદનો અને બીજો ઉપાનંદનો. ત્યારે ભગવંત નંદના પાળામાં પ્રવેશ્યા. નંદના ઘેર ગયા.
ત્યાં નંદે પર્યષિત અન્ન વડે પ્રતિલાભિત કર્યા.
ગોશાળો ઉપનંદના ઘેર ગયો. તેણે ઉપનંદને કહ્યું કે – ભિક્ષા આપો. ત્યારે ત્યાં ભિક્ષાની વેળા ન હતી. તેથી ઠંડા ભાત લાવ્યા. તે ગોશાળાને ઠંડા ભાતની ઈચ્છા ન હતી. પછી તેણીને દાસી કહીને ગોશાળાએ તેના ઉપર તે ભાતને ફેંક્યા અને અપીતિથી બોલ્યો કે –
જે મારા ધમચાર્યનું કંઈ તપ-તેજ હોય તો આનું ઘર બળી જાઓ. ત્યારે ત્યાં નીકટમાં રહેલાં વ્યંતરોએ ભગવંતનું વચન ખોટું ન થાય, તેમ સમજી તેઓએ તે ઘર બાળી નાંખ્યું.
પછી ભગવંત ચંપા નગરી ગયા, ત્યાં ચોમાસુ રહ્યા. ત્યાં બેમાસક્ષમણ [બે માસી) નું તપ કર્યું. વિચિત્ર તપોકર્મ કર્યા. સ્થાન આદિ પ્રતિમાકાયોત્સર્ગ કરે છે. ઉકૂટક સ્થાનાદિ કરે છે.
આ પ્રમાણે ત્રીજું ચોમાસું થયું. • નિયુક્તિ-૪૩૬ :
કાલાય સંનિવેશમાં શૂન્યગૃહમાં, સીંહ, વિધુમ્મતી ગોહીદાસી, કંદ, દંતિલિકા, માલક, શૂન્યાગારમાં. (આ પદો છે.J.
• વિવેચન-૪૩૬ :
વૃત્તિકારશ્રી પણ આ રીતે જ પદો નોંધીને કહે છે કે- અક્ષર ગમનિકા ક્રિયા અધ્યાહારથી સ્વ બુદ્ધિથી કરી લેવી અને પદાર્થની જાણકારી કથાનકથી પ્રાપ્ત થઈ શકે છે -
પછી છેલ્લી બેમાસી તપના પારણું બહાર કરીને કાલાક નામે સંનિવેશમાં ગોશાળાની સાથે ભગવંત ગયા. ત્યાં ભગવંત શુન્યગૃહમાં પ્રતિમા ધ્યાને રહ્યા.
ગોશાળો પણ તેના દ્વારા માર્ગે રહો.
ત્યાં સીંહ નામે ગ્રામકુટ-કોટવાળનો પુત્ર હતો. તે વિધુમતી નામે ગોષ્ઠી દાસીના સાથે તે જ શૂન્ય ગૃહમાં પ્રવેશ્યો.
૨૧૬
આવશ્યક-મૂલક સટીક અનુવાદ/૧ ત્યાં આવીને તે બોલ્યો - જો અહીં કોઈ શ્રમણ કે બ્રાહ્મણ કે પથિક અથવા અન્ય કોઈ રહેલા હોય અને તે સાધના કરતા હોય તો અહીંથી બીજે ચાલ્યા જાય.
ભગવંત તો મૌનપૂર્વક રહ્યા.
ગોશાળો પણ મૌન રહ્યો. તે બંને (યુગલ) ત્યાં રહી [ક્રીડા કરી] નીકળી ગયા. ગોશાળા વડે તે સ્ત્રીનો સ્પર્શ થયો. દાસી બોલી - અહીં કોઈ છે સીંહ ગ્રામકૃટે તેને પકડીને માર્યો. આ ધૂર્ત અમને અનાચાર કરતા જોઈને રહેલો હતો. ત્યારે ગોશાળાએ ભગવંતને કહ્યું -
મને એકલાને માર પડ્યો, તમે કેમ નિવારવા ન આવ્યા. ત્યારે ત્યાં રહેલા સિદ્ધાર્થે કહ્યું - શા માટે તારા શીલની રક્ષા કરતો નથી. શું અમારે પણ માર ખાવો ? અંદર કેમ રહેતો નથી ? પછી દ્વારમાં રહ્યો.
ત્યાંથી નીકળી ભગવંત પમાલકે ગયા.
ત્યાં પણ શૂન્યગૃહમાં રહ્યા, ગોશાળો પણ ભયથી અંદર રહ્યો. ત્યાં કંઇક નામે ગ્રામકૂટ-કોટવાળનો પણ હતો. પોતાની દાસી દંતિલિકાની સાથે લજ્જાને કારણે તે જ શૂન્યગૃહમાં ગયો.
તે બંનેએ પણ સીંહ કોટવાલપુત્ર માફક જ પૂછ્યું. તે પ્રમો જ ભગવંત અને ગોશાળો બંને મૌન રહ્યા.
જયારે સ્કંદક અને દંતિલિકા ક્રીડા કરીને નીકળ્યા ત્યારે ગોશાળો હસ્યો - ઉપહાસ કર્યો. ત્યારે કરી પણ માર ખાધો. ત્યારે ભગવંતની ગુપ્સા કરતાં બોલ્યો. મને માર પડે છે, તો પણ તમે તેને અટકાવતા નથી. • x -
ત્યારે સિદ્ધાર્થે ગોશાળાને કહ્યું – તું તારી પોતાના દોષથી માર ખાય છે, શા માટે મોટું ઠેકાણે રાખતો નથી ?
પછી ભગવંત કુમારક સંનિવેશ ગયા. ત્યાં ચંપરમણીય ઉધાનમાં પ્રતિમા ધ્યાને ભગવંત રહ્યા.
આ તરફ પાશ્વપિત્ય મુનિચંદ્ર નામના વિર, બહુશ્રુત અને ઘણાં શિષ્યના પરિવારવાળા હતા, તે ત્યાં સંનિવેશમાં કૂપનય કુંભારની શાળામાં રહ્યા. તે જિનકલપતિમા કરતા હતા. તેથી શિષ્યને ગચ્છમાં અગ્રણીરૂપે સ્થાપીને નીકળેલા.
આ જ કથાને જણાવતા નિયુક્તિકાર કહે છે – • નિયુક્તિ-૪૭૭ :
મુનિચંદ્ર સૂરિ, કુમાર સંનિવેશ, ફૂપનય, ચંપસ્મણીય ઉધાન, ચૌરાક સંનિવેશ, ગુપ્તચર કૂવમાં નાંખવા, સોમા અને જયંતી ઉપરાંત કર્યો.
• વિવેચન-૪૩૭ :
પદો તો વૃત્તિકારશ્રીએ ઉપર મુજબ જ કહ્યાં છે. પદાર્થના જ્ઞાન માટે કથાનક દ્વારા જાણકારી રજૂ કરી છે. તે આ -
કુમાર સંનિવેશમાં કૂપનય કુંભારની શાળામાં મુનિચંદ્રસૂરિ સવભાવના વડે