Book Title: Agam 40 Avashyaka Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 417
________________ ૬૦ ૪/૨૬, નિં - ૧૨૮૪ પૃચ્છા કરે છે. માગધિકાને બોલાવી. ખોટી શ્રાવિકા બનાવી. ઈત્યાદિ “નમસ્કાર” અધ્યયન-૧-માં પાણિામિકી બુદ્ધિમાં સ્તૂપના દૃષ્ટાંતમાં કહેલ છે, તે જાણવી. કોણિકે તેના માતામહ ચેટક રાજાને પકડી લીધા, પૂછ્યું કે – તમારું શું કરું? ચેટક રાજા સકલ લોહમયી પ્રતિમાને ગળે બાંધીને પુષ્કરિણીમાં ઉતર્યા. ધરણેન્દ્ર તેમને સ્વભવનમાં લઈ ગયો. કાળ કરીને તે દેવલોકે ગયા. વૈશાલીના લોકોને બધાંને નીલવાન મહેશ્વરે બહાર કાઢ્યા. આ મહેશ્વર કોણ છે ? તે કહે છે – તે જ ચેટક રાજાની પુત્રી સુજ્યેષ્ઠા વૈરાગ્યથી પ્રવ્રુજિત થઈ. ઉપાશ્રયની અંદર આતાપના લેતી હતી. આ તરફ પેઢાલ નામનો પરિવ્રાજક વિધાસિદ્ધ હતો તે વિધા આપવા માટે યોગ્ય પુરુષની શોધમાં હતો. જો બ્રહ્મચારિણીને પુત્ર થાય તો સમર્થપુત્ર થાય. સુજ્યેષ્ઠા સાધ્વીને આતાપના લેતી જોઈને ધૂમાળાથી વ્યામોહ કર્યો. વિધાના વિપર્યાસથી સુજ્યેષ્ઠાની યોનિમાં વીર્યનો ત્યાગ કર્યો. સમય જતાં સુજ્યેષ્ઠાનો ગર્ભ વિકસવા લાગ્યો. અતિશયજ્ઞાનીએ કહ્યું – આ સાધ્વીને કામવિકાર થયેલ નથી. બાળકને શ્રાવકના કુળમાં ઉછેર્યો. તે બાળક સાધ્વી સાથે સમોસરણમાં ગયો. ત્યાં કાલસંદીપક વિધાધર ભગવંતને 34 વાંદીને પૂછે છે, મને કોના તરફથી ભય છે? ભગવંતે કહ્યું - આ (બાળક) સત્યકીથી. ત્યારે તેની પાસે જઈ, અવજ્ઞાથી બોલ્યો – તું શું મને મારવાનો હતો, પગની લાત મારી પાડી દીધો. સત્યકી મોટો થયો. પરિવ્રાજકોએ તેને સંયતીની પાસેથી હરી લીધો. વિધા શીખવી. મહારોહિણી વિધાની સાધના કરે છે. આ તેનો સાતમો ભવ હતો. પાંચ ભવમાં તેને મારી નાંખેલો, છટ્ઠામાં છ માસ આયુ જ બાકી રહેતા વિધા તેને વરવા ઈચ્છતી ન હતી. આ ભવે સાધવાનો આરંભ કર્યો. અનાથમૃતક વડે ચિંતા કરીને બાળીને આર્દ્રચર્મ વિસ્તાર્યું. ડાબા અંગુઠાથી ત્યાં સુધી ફેરવ્યું જ્યાં સુધી કાષ્ઠ સળગતાં હતાં. એટલામાં ‘કાલસંદીપ’ આવીને કાષ્ઠ નાંખવા લાગ્યો. સાત રાત્રિ જતાં દેવી સ્વયં ઉપસ્થિત થઈને બોલી – ‘વિઘ્ન ન કર.’ હું આને સિદ્ધ થવા ઈચ્છું છું. સિદ્ધ થઈને બોલી – એક અંગ ખુલ્લું કર, જ્યાંથી હું પ્રવેશ કરું. સત્યકીએ કપાળમાં ઈચ્છા દર્શાવી. તે વિધા કપાળ મધ્યે થઈને તેના શરીરમાં પ્રવેશી. ત્યાં એક છિદ્ર-બિલ થઈ ગયું. દેવીએ ત્યાં ત્રીજી આંખ બનાવી દીધી. સત્યકી વિધાધરે પહેલાં પેઢાલને માર્યો. સત્યકીએ કહ્યું – કેમ મારી માતા અને રાજપુત્રી એવી સાધ્વીને બગાડી ? માટે મારી નાંખ્યો. તેથી તેનું રુદ્ધ નામ પ્રસિદ્ધ થયું. પછી કાલસંદીપ તફ દૃષ્ટિ ફેંકી. જોઈને તે ભાગ્યો, સત્યકી તેની પાછળ લાગ્યો. એ રીતે ઉપર-નીચે ભાગે છે. - - - છેલ્લે તેને મારી નાંખ્યો. કોઈ કહે છે – લવણ મહાપાતાલમાં માર્યો. ત્યારપછી તે વિધાચક્રવર્તી ત્રણ સંધ્યાએ બધાં તીર્થંકરોને વાંદીને નૃત્ય દર્શાવીને પછી અભિરમણ કરતો. તેથી ઈન્દ્રએ ‘મહેશ્વર' એવું નામ કર્યુ. તે પણ ધિજાતીયો પ્રત્યે પ્રદ્વેષ પામીને ધિજાતીય કન્યાના સો-સો વિનાશ કરતો હતો. બીજાના અંતઃપુરની સ્ત્રી ભોગવતો હતો. તેના કહ્યામાં બે શિષ્યો હતા – નંદીશ્વર ૩૬ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ અને નંદી. એ પ્રમાણે પુષ્પક વિમાન વડે અભિરમણ કરતો હતો. આ પ્રમાણે કાળ વીતતો હતો. કોઈ વખતે ઉજ્જૈનીમાં પ્રધોતના અંતઃપુરમાં શિવા રાણીને છોડીને બાકીની બધી રાણીને ભોગવી. પ્રધોત રાજા તેના વિનાશનો ઉપાય વિચારે છે. એક ઉમા નામની ગણિકા અતિ રૂપવતી હતી. તેણી સત્યકીના માર્ગમાં ધૂપગ્રહણ કરીને રહેતી. એમ સમય જતાં એક વખત તે નીચે ઉતર્યો. - ૪ - ઉમા ગણિકા તેને કહે છે – હું આવી કન્યા છું, મારી સામે જો. તેની સાથે સંભોગ કરતાં-કરતાં ઉમાએ તેને હૃતહૃદય કરી દીધો. કોઈ વખતે ઉંમાએ તેને પૂછ્યું – તું દેવીને [વિધાને] ક્યારે બહાર કાઢે છે. સત્યકીએ કહ્યું – મૈથુન સેવતી વખતે હું વિધાને દૂર કરું છું. ઉમાગણિકાએ આ રહસ્ય રાજાને જણાવી દીધું. રાજાએ કુશળ પુરુષોએ અંગની ઉપરનો યોગ દર્શાવ્યો અને કહ્યું કે આ રીતે તારું રક્ષણ કરીશું. પ્રધોતે તે પુરુષોને ખાનગીમાં કહી દીધું કે - આ ગણિકા સહિત જ તેને મારી નાંખજો. ત્યારે તે પુરુષો ગુપ્તરૂપે ગયા. જ્યારે સત્યકી ઉમા સાથે સંભોગ ત હતો, ત્યારે તેણીની - સાથે જ મારી નાંખ્યો. ત્યારે નંદીશ્વર તે વિધાની સાથે આકાશમાં અધિષ્ઠિત થયો. શિલા વિકુર્તીને બોલ્યો – હે દાસ ! હવે તું મરવાનો થયો છે. ત્યારે નગરજન સહિત રાજા ભીનો શાટિકાપ-વસ્ત્ર ધારણ કરીને રહ્યો. “મારો અપરાધ ક્ષમા કરો.’ નંદી બોલ્યો કે – જો તમે આને જે અવસ્થામાં મારી નાંખ્યો તે અવસ્થા [યોનિમાં લિંગ હોય તેવી અવસ્થામાં જો તમે પૂજા કરો તો હું તમને છોડું. આ પ્રમાણે નગરે-નગરે આને આવા જ અપાવૃત્ત-ઉઘાડા સ્થાપો, તો છોડીશ. પ્રધોતે તે વાત સ્વીકારી, તેના આયતન-[મંદિરો] બનાવ્યા. આ મહેશ્વરની ઉત્પત્તિ. ત્યારે નગરી શૂન્ય હતી. કોણિક પ્રવેશ્યો. ગધેડાની પુચ્છ વડે ખેડી. આના અંતકાળમાં શ્રેણિકની પત્નીઓ કાલિકા આદિ ભગવંતને પૂછે છે – અમારા પુત્રો સંગ્રામથી પાછા આવશે કે નહીં ? નિયાવલિકામાં કહ્યા મુજબ જાણવું. પછી દશે રાણીએ દીક્ષા લીધી. ત્યારે કોણિક ચંપાનગરી આવ્યો. ભગવંત પધાર્યા. કોણિકને થયું કે મારે ચક્રવર્તી માફક ઘણાં હાથી, અશ્વ, સ્થ આદિ છે, તો હું જઈને ભગવંતને પૂછુ કે – હું ચક્રવર્તી થઈશ કે નહીં. તે સર્વ સૈન્ય સમુદાય સાથે નીકળ્યો. વંદન કરીને પૂછ્યું – કેટલાં ચક્રવર્તી થયા ? ભગવદ્ કહે છે – બધાં થઈ ગયા. ફરી પૂછે છે કે – હું મરીને ક્યાં જઈશ ? છઠ્ઠી નરકે. કોણિકને ભગવંતના વચનમાં શ્રદ્ધા ન થઈ. તેણે બધાં એકેન્દ્રિય રત્નો લોઢાના રચ્યા. પછી સર્વ સૈન્ય સહિત તમિશ્રગુફા પહોંચ્યો. અમતપ કર્યો. કૃતમાલ દેવે કહ્યું – બાર ચક્રવર્તી થઈ ગયા. તે ન માન્યો. તેણે હાથીના મસ્તકે મણિ મૂક્યો. દંડ વડે ગુફાના દ્વાર ઉપર આહત કરી. ત્યારે કૃતમાલ દેવે તેને મારી નાંખ્યો. મરીને છઠ્ઠી નકે ગયો. ત્યારે ઉદાયીનને રાજારૂપે સ્થાપ્યો. ઉદાયીનને ચિંતા થઈ કે – આ નગરમાં મારા પિતા હતા. અધૃતિથી અન્ય નગર કરાવે છે. વાસ્તુની શોધમાં પુરુષો મોકલ્યા.

Loading...

Page Navigation
1 ... 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512