Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૧૧૬
શ્રી ભગવતી સૂત્ર–૨
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! દ્વિપ્રદેશિક સ્કંધનું અંતર કેટલું છે ?
ઉત્તર– હે ગૌતમ ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અનંતકાલનું અંતર હોય છે. તે જ રીતે ત્રિપ્રદેશી કંધથી અનંતપ્રદેશી સ્કંધ સુધી જાણવું.
२१ एग पएसोगाढस्स णं भंते ! पोग्गलस्स सेयस्स अंतरं कालओ केवच्चिरं હોર્ ?
गोयमा ! जहण्णेणं एगं समयं, उक्कोसेणं असंखेज्जं कालं । एवं जाव असंखेज्ज पएसोगाढे ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! એક પ્રદેશાવગાઢ સકંપ પુદ્ગલનું અંતર કેટલા કાલનું હોય છે ? અર્થાત્ એક આકાશ પ્રદેશ પર સ્થિત સકંપ પુદ્ગલ પોતાનું કંપન બંધ કરે, તો તેને પુનઃ—સકંપ થવામાં કેટલો સમય લાગે છે ?
ઉત્તર– હે ગૌતમ ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અસંખ્યાત કાલનું અંતર હોય અર્થાત્ તે પુદ્ગલ જ્યારે કંપિત થતું અટકી જાય અર્થાત્ અકંપ અવસ્થાને પ્રાપ્ત થઈ જાય અને પુનઃ કંપનનો પ્રારંભ કરે અર્થાત્ સકંપ બને, તો તેનું અંતર જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અસંખ્યાત કાલનું છે. તે જ રીતે દ્વિપ્રદેશાવગાઢ સકંપ પુદ્ગલથી અસંખ્ય પ્રદેશાવગાઢ સુધીના પુદ્ગલોનું અંતર કહેવું જોઈએ. २२ एग पएसोगाढस्स णं भंते ! पोग्गलस्स णिरेयस्स अंतरं कालओ केवच्चिरं होइ ?
गोयमा ! जहण्णेणं एगं समयं, उक्कोसेणं आवलियाए असंखेज्जइभागं । एवं जाव असंखेज्जप सोगाढे ।
वण्ण गंध रस फास सुहुमपरिणय बायरपरिणयाणं, एएसिं जं चेव संचिट्ठणा तं चेव अंतरं वि भाणियव्वं ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! એક પ્રદેશાવગાઢ નિષ્કપ પુદ્ગલનું અંતર કેટલા કાલનું હોય છે ?
ઉત્તર– હે ગૌતમ ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ આવલિકાના અસંખ્યાતમા ભાગનું અંતર હોય છે. તે જ રીતે દ્વિપ્રદેશાવગાઢ નિષ્કપ પુદ્ગલથી અસંખ્યેય પ્રદેશાવગાઢ સુધી કહેવું જોઈએ.
વર્ણ, ગંધ, રસ, સ્પર્શગત, સૂક્ષ્મ પરિણત અને બાદર પરિણત પુદ્ગલોનો જે સંસ્થિતિકાલ (સંચિટ્ટણા કાલ) કહ્યો છે, તે જ તેનો અંતરકાલ સમજવો.
२३ सद्दपरिणयस्स णं भंते ! पोग्गलस्स अंतरं कालओ केवच्चिरं होइ ? गोयमा !