Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 428
________________ શ્રી ભગવતી સૂત્ર–૨ मिच्छादंसणसल्लविवेगेणं; एवं खलु गोयमा ! जीवाणं अकक्कसवेयणिज्जा कम्मा कज्जंति । ૩ ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! જીવ અકર્કશવેદનીય કર્મ કેવી રીતે બાંધે છે ? ઉત્તર– હે ગૌતમ ! પ્રાણાતિપાતવિરમણ યાવત્ પરિગ્રહ વિરમણ, ક્રોધ વિવેક યાવત્ મિથ્યાદર્શન —શલ્ય વિવેક; આ રીતે હે ગૌતમ ! સર્વ પાપસ્થાનના પરિત્યાગથી જીવ અકર્કશવેદનીય કર્મ બાંધે છે. १२ अत्थि णं भंते ! णेरइयाणं अकक्कसवेयणिज्जा कम्मा कज्जंति ? गोयमा ! णो इणट्ठे समट्ठे । एवं जाव वेमाणिया; णवरं मणुस्साणं जहा जीवाणं । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! શું નૈરયિક જીવ અકર્કશવેદનીય કર્મ બાંધે છે ? ઉત્તર– હે ગૌતમ ! તેમ શક્ય નથી અર્થાત્ નૈરયિક જીવ અકર્કશવેદનીય કર્મ બાંધતા નથી. આ જ રીતે વૈમાનિકો પર્યંત કહેવું જોઈએ, પરંતુ મનુષ્યોના વિષયમાં સમુચ્ચય જીવોની સમાન સર્વ કથન કરવું જોઈએ. વિવેચન : પ્રસ્તુત સૂત્રમાં સમુચ્ચય જીવો અને ૨૪ દંડકોવર્તી જીવોના કર્કશવેદનીય અને અકર્કશવેદનીય કર્મબંધના કારણોનું નિરૂપણ કર્યું છે. કર્કશ વેદનીય કર્મ :– અત્યંત દુઃખપૂર્વક ભોગવવા યોગ્ય કર્મોને કર્કશ વેદનીય કર્મ કહે છે. તે અશાતારૂપ જ હોય છે. યથા સ્કંદકાચાર્યના ૫૦૦ શિષ્યોને ઘાણીમાં પીલવામાં આવ્યા. તે સમયે કર્કશ વેદનીય કર્મ ઉદયમાં આવ્યું, તેમ કહેવાય. પ્રાણાતિપાત આદિ ૧૮ પ્રકારના પાપના સેવનથી જીવ તે પ્રકારનો કર્મ બંધ કરે છે. ૨૪ દંડકના જીવો આ પ્રકારનો કર્મબંધ કરી શકે છે. અકર્કશ વેદનીય કર્મ :– અત્યંત સુખપૂર્વક ભોગવવા યોગ્ય કર્મોને અકર્કશ વેદનીય કર્મ કહે છે. તે શાતા રૂપ જ હોય છે. યથા– ભરત ચક્રવર્તીના કર્મો. ૧૮ પ્રકારના પાપના ત્યાગથી અર્થાત્ સંયમ ભાવથી જીવ તેવા પ્રકારનો કર્મબંધ કરે છે. કર્મભૂમિના મનુષ્યો જ અઢાર પાપનો પૂર્ણતયા ત્યાગ કરી શકે છે, સંયમનો સ્વીકાર કરી શકે છે. તેથી ચોવીસ દંડકમાં માત્ર મનુષ્યો જ અકર્કશ વેદનીય કર્મનો બંધ કરે છે. શેષ દંડકના જીવો અકર્કશ વેદનીય કર્મનો બંધ કરી શકતા નથી. વેમળેળ : વિવેનેળઃ– હિંસાદિ પાંચ પાપ પ્રવૃત્તિરૂપ છે અને ક્રોધાદિ અવશેષ પાપ આત્માના વૈભાવિક પરિણામરૂપ છે. સૂત્રમાં હિંસાદિ પાપ પ્રવૃત્તિના ત્યાગ માટે વિરમણવિરામ પામવું તે ક્રિયાવાચક શબ્દનો પ્રયોગ કર્યો છે અને ક્રોધાદિ વૈભાવિક પરિણામ ન કરવા માટે વિવેક શબ્દનો પ્રયોગ કર્યો છે.

Loading...

Page Navigation
1 ... 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505