Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
[ ૨૫૮ ]
શ્રી ભગવતી સૂત્ર-૨
सईण-पलिमंथगमाईणं; एएसि णं धण्णाणं को?उत्ताणं जाव केवइयं कालं जोणी सचिट्ठइ?
गोयमा ! जहा सालीणं तहा एयाणि वि; णवरं पंच संवच्छराई; सेसंतं चेव। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! વટાણા, મસૂર, તલ, મગ, અડદ, વાલ, કળથી, અલિસંદક–એક પ્રકારના ચોળા, તુવેર, પલિમંથક–ગોળ ચણા અથવા કાળા ચણા ઈત્યાદિ કઠોળ કોઠારાદિમાં રાખ્યા હોય તો તે ધાન્યો કેટલા કાલ સુધી યોનિભૂત(સચિત્ત) રહે છે?
ઉત્તર– હે ગૌતમ! જે રીતે શાલી આદિ ધાન્યોને માટે કહ્યું, તે જ પ્રમાણે સૂત્રોક્ત કઠોળ પાંચ વર્ષ સુધી યોનિભૂત રહે છે વગેરે સર્વકથન પૂર્વવત્ જાણવું.
૩ ગદ અંતે !અસિ-jમ-વોદ્દવ--વર-રાના-જોવૂલ-સMसरिसव-मूलगबीयमाईणं एएसि णं धण्णाणं जाव जोणी संचिट्ठइ ?
गोयमा ! एयाणि वि तहेव णवरं सत्त संवच्छराइं; सेसं तं चेव । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! અળસી, કુસુભ-લાલ રંગના ફૂલવાળું એક ધાન્ય, કોદ્રવ, કાંગણી, વરગ–એક પ્રકારનું અનાજ, રાલક, કોદૂષક–એક પ્રકારના કોદરા, સણ, સરસવ, મૂલકબીજ–એક જાતિના શાકના બીજ આદિ ધાન્ય યોનિભૂત(સચિત્તયોનિરૂપે) કેટલા કાલ સુધી રહે છે?
ઉત્તર- હે ગૌતમ! જે રીતે શાલી આદિ ધાન્યને માટે કહ્યું તે જ રીતે આ બીજને માટે પણ કહેવું જોઈએ; વિશેષતા એ છે કે તેની યોનિ ઉત્કૃષ્ટ સાત વર્ષ સુધી સચિત્ત રહે છે. શેષ વર્ણન પૂર્વવતુ સમજી લેવું જોઈએ.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં શાલી આદિ ધાન્યની, વટાણા આદિ કઠોળની તેમ જ અલસી આદિ બીજોની સ્થિતિનું નિરૂપણ છે. આ ધાન્યાદિમાં જ્યાં સુધી ઉત્પાદન શક્તિ હોય, અંકુરિત થવાની શક્તિ હોય ત્યાં સુધી તે યોનિભૂત કહેવાય છે. તે શક્તિ ન રહે ત્યારે તે અયોનિ કહેવાય છે. વિશેષ વિવેચન માટે જુઓ ઠાણાંગ સૂત્ર ભાગ-૧, સ્થાન–૩, ઉ.-૧, સૂત્ર-પપ, પૃષ્ટ-૧૮૩.
વલ વિલ :- આ બે શબ્દો માટે પ્રતોમાં ભિન્નતા જોવા મળે છે. કેટલીક પ્રતોમાંવિલ છે તો કેટલીક પ્રતોમાં પવિત્ર છે. જ્યારે કેટલીક પ્રતોમાં બંનેનો સ્વીકાર છે અને બંનેનો સ્વીકાર કરતાં શબ્દોનો વ્યુત્કમ થયો છે અર્થાત્ પવિતે પહેલાં અને પશ્ચાત્ વિસરું પાઠ જોવા મળે છે પરંતુ પહેલાં વિલ પદ અને પછી વિસ૬ પદ હોવું જોઈએ.
આ સુત્રો અક્ષરશઃ સ્થાનાંગ સુત્ર સ્થાન-૩, ૫ અને ૭ એમ અનેક જગ્યાએ છે. તે સર્વ સ્થળે