Book Title: Adhyatmamatpariksha Shabdasha Vivechan Part 03
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 341
________________ • • • • • • • , , , , , , ,ગાથા : ૧૭૩. અવિરતસમ્યુનિ . ***અધ્યાત્મમત પરીક્ષા ૯૦૨ અવિરતસમ્યગ્દષ્ટિને સંસારના સુખમાં બલવદુઃખાનુબંધિત્વનું પ્રતિસંધાન હોવા છતાં પણ, કેમ તેનાથી=ભોગથી, નિવર્તન પામતા નથી? '-ન'થી પૂર્વપક્ષી આ પ્રમાણે કહે કે, આ પ્રમાણે ભોગ વડે જ ભોગકર્મનો નાશ થતો હોવાથી ભોગકર્મના નાશના અર્થીની ત્યાં ભોગમાં, પ્રવૃત્તિ કરવી યુક્ત છે. તેનો ઉત્તર આપતાં ગ્રંથકાર કહે છે, 'સત્ય' - તારી વાત સાચી છે. જે વ્યક્તિ તેનું ભોગકર્મનું, ભોગએકનાશ્યપણું કોઈ પણ હેતુથી નિશ્ચિત કરે છે, તેનીતે વ્યક્તિની ભોગેચ્છાની નિવૃત્તિ માટે ત્યાં=ભોગમાં, પ્રવૃત્તિયુક્ત જ છે. જેમ કાલદષ્ટને=કાળસર્પ જેને ગમ્યો હોય તે વ્યક્તિને, વિષભક્ષણમાં(પ્રવૃત્તિ યુક્ત છે.), ચતુ'- જેને વળી તે પ્રકારનો નિર્ણય નથી=મારાં ભોગકર્મો ભોગએકનાશ્ય છે તેવો નિર્ણય નથી, તે વ્યક્તિને ત્યા=ભોગમાં, પ્રવૃત્તિ વિપરીત પ્રયોજનવાળી છે, એ પ્રમાણે તત્ત્વ છે. ભાવાર્થ:- ભોગકર્મની નિવૃત્તિનાં બે કારણો છે. (૧) ભોગથી ભોગકર્મની નિવૃત્તિ થાય છે. (૨) ભોગના સ્વરૂપનું સભ્યજ્ઞાન થાય તેના કારણે ભોગકર્મની નિવૃત્તિ થાય છે. અહીં ભોગકર્મ શબ્દથી ચારિત્રમોહનીયકર્મ ગ્રહણ કરવાનું છે, અને જેમનું ચારિત્રમોહનીયકર્મ નિકાચિત છે તેમનું ચારિત્રમોહનીયકર્મભોગથી જ નાશ પામે છે. જેમ નંદિષેણમુનિનું ભોગકર્મ નિકાચિત હતું તો તે ભોગથી જ નાશ પામ્યું. જે જીવનું ચારિત્રમોહનીયકર્મ નિકાચિત નથી, તેવા જીવોને ઉપદેશાદિની સામગ્રી મળે, અને ભોગના સ્વરૂપનો સમ્ય બોધ થાય, તો તેનાથી ભોગકર્મની નિવૃત્તિ થાય છે. આથી જ કહ્યું કે, ભોગકર્મની નિવૃત્તિ સ્વકારણને આધીન છે; અર્થાત્ ભોગના સ્વરૂપનું સભ્યજ્ઞાન થવાને કારણે ભોગકર્મનો નાશથાય, અને નિકાચિત ભોગકર્મભોગક્રિયાથી નાશ પામે, એ રૂપસ્વકારણને આધીન ભોગકર્મની નિવૃત્તિ છે. અને અંતરંગ રીતે ભોગકર્મની નિવૃત્તિ થાય ત્યારે જ ભોગની ઇચ્છાની નિવૃત્તિ થાય છે, અને ભોગકર્મની નિવૃત્તિ થાય ત્યારે જ જીવને ભોગો પ્રત્યે દ્વેષ પ્રગટે છે. આથી જ અવિરતસમ્યગ્દષ્ટિને સંસારના સુખમાં બલવાન દુઃખાનુબંધિત્વનું જ્ઞાન હોવા છતાં પણ ભોગકર્મની નિવૃત્તિ નહિ થવાને કારણે ભોગ પ્રત્યે દ્વેષ થતો નથી. તેથી જેમ જલપાનની પિપાસાના કારણભૂત તૃષાની નિવૃત્તિ થયે છતે પિપાસાની નિવૃત્તિ થાય છે, તેમસ્વકારણઆધીન ભોગકર્મની નિવૃત્તિ થયે છતે ભોગેચ્છાની નિવૃત્તિ થાય છે. અહીંદષ્ટાંત-દાષ્ટ્રતિકભાવ આ રીતે છે- પિપાસાની નિવૃત્તિના સ્થાને ભોગેચ્છાની નિવૃત્તિ છે, પિપાસાના કારણભૂત તૃષાની નિવૃત્તિના સ્થાને ભોગકર્મની નિવૃત્તિ છે; અને તૃષાની નિવૃત્તિનું કારણ જેમ જલપાન છે તેમ ભોગકર્મની નિવૃત્તિનું કારણ નિકાચિતકર્મવાળાને ભોગક્રિયા છે અને અનિકાચિતકર્મવાળાને બલવ દુઃખાનુબંધિત્વનું જ્ઞાન છે. અહીં વિશેષ એ છે કે, અંતરંગ રીતે ભોગકર્મની નિવૃત્તિ થાય છે ત્યારે જીવમાં બાહ્ય રીતે ભોગો પ્રત્યે દ્વેષ થાય છે, તેથી ભોગની ઇચ્છાની નિવૃત્તિ થાય છે. આથી જ પૂર્વમાં કહ્યું કે, સંસારનાં સુખો પ્રત્યે દુઃખાનુબંધિત્વનું જ્ઞાન થવાને કારણે તેમના પ્રત્યે દ્વેષ થાય છે, અને દ્વેષ થવાથી ઇચ્છાનો વિચ્છેદ થાય છે. આનાથી એ પ્રાપ્ત થયું કે

Loading...

Page Navigation
1 ... 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400