Book Title: Adhyatmamatpariksha Shabdasha Vivechan Part 03
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 364
________________ અધ્યાત્મમતપરીક્ષા ગાથા : ૧૭૮ ૯૨૫ अथैवं पामरादिसङ्केतितानामपि शब्दानामर्थवत्त्वं स्यादिति चेत् ? स्यादेव, साधुत्वं तु तत्र नानुशासनिकत्वरूपम् । यत्तु शक्तिलक्षणान्यतरवत्त्वमेव साधुत्वमिति तन्न, 'घटः पश्य' इत्यादौ प्रथमाया द्वितीयार्थलक्षणाप्रतिसन्धानेप्यसाधुत्वज्ञाने सति शाब्दबोधानुदयात्, सातत्यवृत्तिरूपत्वेन वृत्तिज्ञानत्वेन शाब्दबोधहेतुतयैव निर्वाहे साधुत्वज्ञानस्य पृथक्कारणता न स्यादिति । अथैवं साधुशब्दानामिवाऽसाधुशब्दानामपि शक्तिः स्यादिति चेत्, स्यादेव सर्वेषां शब्दानां सर्वार्थप्रत्यायनशक्तिमत्त्वात्, सङ्केतविशेषसहकारेण च विशेषार्थबोधादिति दिग् । ટીકાર્ય :- ‘નવુ’- ‘ન’થી પૂર્વપક્ષી શંકા કરતાં કહે છે કે, શાબ્દબોધમાં પદજન્ય પદાર્થની ઉપસ્થિતિનું જ હેતુપણું હોવાથી પદનું જ અર્થવત્પણું છે, પરંતુ વાક્યનું પણ નહિ. ઉત્થાન :- અહીં પ્રશ્ન થાય કે, વાક્યનિષ્ઠ દરેક પદથી જે અર્થનો બોધ થાય છે તેના કરતાં વાક્યથી અપૂર્વ અર્થનો લાભ થાય છે. એથી પદના અર્થવત્ત્વ કરતાં વાક્યનું અર્થવત્ત્વ પૃથક્ છે. એમ ‘ઘટમાનવ’ આ પ્રયોગમાં ઘટ, અમ્, આનય. આ ત્રણ પદોથી ત્રણ પદાર્થની ઉપસ્થિતિ થાય છે, અને વાક્યથી ‘તું ઘટને લાવ’ એ પ્રકારે અપૂર્વ અર્થનો લાભ થાય છે, માટે વાક્યનું અર્થવત્ત્વપણું માનવું પડશે. એથી કહે છે– ટીકાર્ય :- ‘માડ્યાર્િ' આકાંક્ષાદિના મહિમા વડે અર્થવાળા પદોથી જ અપૂર્વ વાક્યાર્થનો લાભ થાય છે. દ‘આજા વિ’અહીં ‘વિ'થી ‘સંનિધિ’ લેવાની છે. ભાવાર્થ :- ઘટ પદને ‘અમ્'વિભક્તિની આકાંક્ષા રહે છે, અને ‘અમ્'ને આનયન ક્રિયાની આકાંક્ષા રહે છે. તેથી અર્થવાળાં એવાં ત્રણે પદોથી જ આકાંક્ષાને કારણે અપૂર્વ વાક્યાર્થનો લાભ થાય છે. માટે વાક્યનું અર્થવત્ત્વપણું નથી. • ટીકાર્ય :- ‘વં ચ’ અને એ રીતે=પૂર્વમાં કહ્યું કે શાબ્દબોધમાં પદજન્ય પદાર્થની ઉપસ્થિતિનું જ હેતુપણું હોવાથી પદનું જ અર્થવત્પણું છે, પરંતુ વાક્યનું નથી, એ રીતે, વાક્યનું પણ અર્થવત્પણું નથી. એથી કરીને પદના એક દેશનું=મિચ્છા મિ દુક્કડં નિષ્ઠ ‘મિ’ આદિરૂપ પદના એક દેશનું, તથાત્વ=અર્થવાળાપણું, કેવી રીતે હોઇ શકે? ‘ન’તેનો ઉત્તર આપતાં ગ્રંથકાર કહે છે કે એમ ન કહેવું. ‘સગ્નેત્ત’– કેમ કે સંકેતવિશેષનું પ્રતિસંધાન હોવાથી પદના એક દેશથી પણ અર્થના પ્રત્યયનો અનુભવ થવાથી તેનું પણ=પદના એક દેશનું પણ, અર્થવત્પણું છે. * ‘ન તુ વાવયસ્થાપિ’નો પરામર્શ પાછળમાં રહેલા ‘વં’થી થાય છે. ‘તસ્યાવ્યર્થવત્ત્વાર્’અહીં ‘પિ’થી એ સમુચ્ચય થાય છે કે, પદનું તો અર્થવત્પણું છે પણ પદના એક દેશનું પણ અર્થવ૫ણું છે.

Loading...

Page Navigation
1 ... 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400