Book Title: Adhyatmamatpariksha Shabdasha Vivechan Part 03
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 347
________________ 1 ••••••••••ાવ્યા અse. .. •••••••••• .ગાથા : ૧૭૫ ટીકાર્ય -“મનોવૃતિવત્ન' – અને મનના ધૃતિબળથી કોઇક કાયપ્રવૃત્તિ અને વચનપ્રવૃત્તિ પણ થાય જ છે, જેનાથી ત્રિકરણશુદ્ધિ આધાન થાય છે. ફક્ત વિચિત્રતપ-અભિગ્રહાદિક કરવા માટે અસમર્થ પણ તેની તે જીવની કાયવ્રતની યતના હોવાને કારણે હાનિ નથી, અર્થાત્ ત્રિકરણશુદ્ધિની હાનિ નથી. કેમ કે શક્તિનું અનિગૂહન છે. ભાવાર્થ-જે જીવ સંસારથી અત્યંત ભય પામેલો છે તે જીવ રોગાદિગ્રસ્ત કે હીન કાયબળવાળો હોવા છતાં પણ, સંસારથી મારો વિસ્તાર થાય એવી ઇચ્છાથી, ભગવદ્ ઉપદિષ્ટ આચરણાઓમાં અત્યંત માનસિક યત્ન કરતો હોય, તે મનોવૃતિબળવાળો છે. અને મનોવૃતિબળથી કાંઈક કાયપ્રવૃત્તિ અને વચનપ્રવૃત્તિ પણ થાય જ છે; અર્થાત ભગવદ્ વચનાનુસાર કાયાને અને વાણીને પ્રવર્તાવવામાં કાંઈક યત્ન થાય છે, જેના કારણે ત્રણેય કરણોની શુદ્ધિ થાય છે. = મન, વચન અને કાયા ત્રણેય સમ્ય રીતે ભગવદ્ વચનાનુસાર પ્રવર્તે છે, તે રૂપત્રિકરણની શુદ્ધિ થાય છે. =મનોયોગ પ્રણિધાનાદિ આશયમાં પ્રવર્તે છે, અને વચનયોગ તથા કાયયોગ પ્રણિધાનાદિ આશયની પુષ્ટિ કરે તેવી પ્રવૃત્તિમાં વર્તે છે, તે રૂપ ત્રિકરણની શુદ્ધિ થાય છે. ફક્ત વિચિત્રતા અને અભિગ્રહાદિ કરવા માટે અસમર્થ પણ તે જીવની કાયવ્રતની યતના હોવાને કારણે ત્રિકરણશુદ્ધિની હાનિ નથી. અર્થાત્ જેમ મનોયોગ પ્રણિધાનાદિ આશયને પ્રાદુર્ભાવ કરવામાં વ્યાપૃત છે, તેમ કાયા પણ પ્રણિધાનાદિ આશયને પુષ્ટ કરે તેવી આચરણામાં યતનાવાળી છે. ફક્ત શક્તિના અભાવને કારણે તપ-અભિગ્રહાદિ કાયાથી કરી શકતો નથી, તેથી કાયાથી વ્રતપાલનને અનુકૂળ સમ્યગૂ ચેષ્ટારૂપ કાયવ્રતની યતના ત્યાં વર્તે છે, કેમ કે કાયાની સમ્યગૂ ચેષ્ટામાં શક્તિનું અનિગૂહન છે, માટે ત્રિકરણશુદ્ધિની હાનિ નથી. ટીકાર્ય - ૩૨' - અને કહ્યું છે ન' - જો અશક્ય (ભિક્ષુપ્રતિમા, માસકલ્પાદિ) કરવા માટે સમર્થ નથી, તો કયા હેતુથી આ સ્વાધીન એવી યતિને યોગ્ય સંયમયતનાને કરતો નથી? Cી “ત્તિ' ઉપદેશમાલાના ઉદ્ધરણની સમાપ્તિ સૂચક છે. ટીકા - નનુ ત િવૃત્તિવર્લ્સના વિચિત્રપ્રતિમપિનકુમ, ને દિવૃત્તિવજોન વયપિત્યનનો महासाहसिका इति चेत् ? न, धृतिबलसाध्येऽपि विचित्राभिग्रहादौ व्रतार्जनक्षमयोगहानिरूपबलवदनिष्टानुबन्धित्वप्रतिसन्धानेन तत्राऽप्रवृत्तेः । अत एवोक्तं - १ मा कुणउ जइ तिगिच्छं अहियासेऊण जइ तरइ सम्मं । अहियासंतस्स पुणो जइ से जोगा ण हायं ति ॥ त्ति। [૩૫. માના રૂ૪૬] ટીકાર્થ “નનું' -“નથી પૂર્વપક્ષી આ પ્રમાણે કહે કે, તો પછી વૃતિબેલ વડે વિચિત્ર અભિગ્રહાદિક પણ દુષ્કર નથી, જે કારણથી વૃતિબલ વડે કાયાનો પણ ત્યાગ કરતા મહાસાહસિકો દેખાય છે. તેનો ઉત્તર આપતાં ગ્રંથકાર १. मा करोतु यदि चिकित्सामतिसोढुं यदि तरति सम्यक् । अतिसहमानस्य पुनर्यदि तस्य योगा न हीयन्ते ॥ .

Loading...

Page Navigation
1 ... 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400