Book Title: Tattvarthadhigam Sutram Part 07
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
સૂત્ર-૧૭ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય
૧૭૯ સંલેખના કરીને– આ તપોથી આત્માને શરીરને) પાતળું કરીને વિશેષથી રૂક્ષ કરીને લોહી-મેદ-માંસ આદિની હાનિ કરીને, કષાયોને દૂર કરીને, ગૃહસ્થવ્રતોને છોડીને, સંયમને સ્વીકારીને અશનાદિ ચાર પ્રકારના કે સમાધિ રહે તે રીતે ત્રણ પ્રકારના આહારનું પ્રત્યાખ્યાન કરીને. યાવજીવ– વિશિષ્ટ અવધિ સુધી.
ભાવના-અનુપ્રેક્ષામાં તત્પર– ભાવનાઓ પૂર્વે (પ્રસ્તુત અધ્યાયના છઠ્ઠા સૂત્રમાં) કહી છે. અનુપ્રેક્ષાઓ નવમા અધ્યાયમાં (૭મા સૂત્રમાં) કહેવાશે. તેમાં તત્પર એટલે તેમાં જ ચિત્તને રાખનારો અને તેના જ અધ્યવસાયવાળો થાય.
સ્મૃતિબહુલ– મહાવ્રત વગેરે જેની પ્રતિજ્ઞા કરી છે તે સર્વનું સ્મરણ કરે. જેની સ્મૃતિ ચોરાઈ ગઈ છે(= જતી રહી છે) એવા પ્રમાદીને નિર્જરા ન થાય.
સમાધિબહુલ- સમાધિ એટલે ચિત્તની સ્વસ્થતા. ચિત્તની સ્વસ્થતા જેને ઘણી છે તે સમાધિબહુલ છે, આર્ત-રૌદ્રધ્યાનથી યુક્ત નથી.
ઉત્તમાર્થ-આરાધક- આ પ્રમાણે કરતો તે ઉત્તમાર્થના=પ્રકૃષ્ટ પુરુષાર્થનો, અર્થાત્ મોક્ષનો આરાધક થાય છે. (૭-૧૭)
भाष्यावतरणिका- एतानि दिग्वतादीनि शीलानि भवन्ति । 'निःशल्यो व्रतीति वचनादुक्तं भवति व्रती नियतं सम्यग्दृष्टिरिति तत्र
ભાષ્યાવતરણિકાર્થ– આ દિવ્રતાદિ વ્રતો શીલ છે. નિ:શો વ્રતી (સૂ.૧૩) એવા સૂત્રથી વ્રતી નિયમા સમ્યગ્દષ્ટિ હોય એમ કહેલું થાય છે. તેમાં–
टीकावतरणिका-सम्प्रति व्याख्यातस्वरूपाणि शीलानि निगमयति'एतानी'त्यादिना उत्तरसूत्रस्य च सम्बन्धमाचष्टे, दिक्षु व्रतं दिग्व्रतं, तदादौ येषां तान्येतानि दिग्व्रतादीनि सप्तापि सह संलेखनया शीलानि भवन्ति, शील्यन्ते-अभ्यस्यन्ते समाचीयन्ते आत्मनि पुनः पुनरिति