Book Title: Tattvartha Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ઉખાડીને કાઢી લેવામાં આવે છે તે પ્રાન્તાહાર કહેવાય છે અથવા ખાટી છાશ થી મિશ્રિત ચણ વગેરે અથવા ટાઢું ભજન પ્રાન્તાહાર કહેવાય છે. તેને જ ખાવાને નિયમ અંગીકાર કરે પ્રાન્તાહાર તપ છે. રૂખ સુકે આહાર રક્ષાહાર કહેવાય છે. જે આહાર તુચ્છ અર્થાત્ અલ્પ અથવા અસાર હાય શ્યામાક વગેરેને બનેલું હોય તે તુચ્છાદાર કહેવાય છે ઈત્યાદિ પ્રકાર થી રસપરિત્યાગતના અનેક ભેદ હોય છે. ઔપપાતિક સૂત્રના ત્રીસમાં સૂત્રમાં કહ્યું છે
પ્રશ્ન-ર૩પરિત્યાગ તપના કેટલા ભેદ છે ?
ઉત્તર–રસપરિત્યાગ તપ અનેક પ્રકારના છે જેવાકે (૧) નિર્વિકૃતિક (૨) પ્રણીતરસારિત્યાગ (૩) આયંબિલ (૪) આયામસિફથજી ૫) (અરસા હાર (૬) વિરસાહાર (૭) અન્નાહાર (૮) પ્રાન્તાહાર (૯) રૂક્ષાહાર અને (૧૦) તુચ્છાહાર છે ૧૬ છે
કાયક્લેશતપ કે અનેક વિધત્વ કા નિરૂપણ
“વિતરે ગળે િઈત્યાદિ સૂત્રાર્થ–સ્થાન સ્થિતિક આદિના ભેદથી કાયકલેશ તપના અનેક ભેદ છે ૧૭
તત્વાર્થદીપિકા-પહેલાં અનશનથી માંડીને રસપરિત્યાગ પર્યત બાહ્ય તપનું સવિસ્તર વર્ણન કરવામાં આવ્યું હવે કમાગત કાયકલેશ નામક પાંચમાં બાહ્ય તપના રવરૂપ અને ભેદનું પ્રરૂપણ કરીએ છીએ
જે તપથી અથવા જે તપ કરવાથી કાયાને કલેશ થાય છે તે કાથકલેશ તપ કહેવાય છે. અહી પણ ધર્મ અને ધમમાં અભેદ ઉપચાર કરવામાં આવ્યું છે. કાયકલેશ તપ અનેક પ્રકારના છે (૧) સ્થાન સ્થિતિક (૨) ઉત્કટકાસનિક (3) પ્રતિમાસ્થાયી (૪) વીરાસનિક (૫) નૈષધિક (૬) દડાયતિક (૭) લકુશાયી (૮) આતાપક (૯) અપ્રાવૃતક (૧૦) અકÇયક (૧૧) અનિષ્ઠીવક
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨