Book Title: Tattvartha Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
જાણવાની મર્યાદાથી યુક્ત હેય તે અવધિજ્ઞાન અથવા જે જ્ઞાન અપસ્તાઅર્થાત નીચી દિશામાં અધિક જાણે તે અવધિજ્ઞાન અહી અવશબ્દ અધઃ અર્થાત્ નીચેના અર્થમાં છે.
દેવ અવધિજ્ઞાનથી સાતમી નરક સુંધી જુએ છે પરંતુ ઉપર તે થોડુ જ જોઈ શકે છે- માત્ર પિતાના વિમાનના દડ પર્યત જોઈ શકે છે.
મનઃ પર્યાયજ્ઞાનાવરણને ક્ષયપશમ થવાથી બીજાનાં મનોગત પર્યાને સાક્ષાત રૂપથી જાણનાર જ્ઞાન મનઃ પર્યવજ્ઞાન કહેવાય છે. આ જ્ઞાન પરમને દ્રવ્ય અને તેના પર્યાને જ પ્રત્યક્ષ જાણે છે પરંતુ મન દ્વારા ચિત્િત ઘટ આદિ પણ પદાર્થોને જાણતા નથી. તેને અનુમાનથી જ જાણે છે તાત્પર્ય એ છે કે જ્યારે કોઈ સંસી જીવ કેઈ પદાર્થનું મનન-ચિન્તન કરે છે ત્યારે તે ચિત્તનીય પદાર્થને અનુરૂપ તેના મનના પર્યાય ઉત્પન્ન થાય છે. મનઃ પર્યાવજ્ઞાન તે પર્યાને સાક્ષાત જાણે છે અને તેના આધારે બાહ્ય પદાર્થોનું અભિમાન કરે છે. જેમ સામાન્ય જ્ઞાનવાન પુરૂષ કોઈના ચહેરાને પ્રત્યક્ષ જુએ છે અને પછી ચહેરાના અધારથી તેના અતઃકરણના ક્રોધ અનુરાગ આદિ ભાવનું અનુમાન કરે છે. તે જ રીતે મન:પર્યાવજ્ઞાની બીજાના મને દ્રવ્યને પ્રત્યક્ષ જુએ છે અને પછી મનોદ્રના પર્યાના આધાર પર બાહ્ય પદાર્થોનું અનુમાન કરે છે. કહ્યું પણ છે– કાળરૂ ગુમાળાગો’ અર્થાત્ બાપદાર્થોને અનુમાનથી જાણે છે.
જે જ્ઞાનને માટે તપસ્વીજન તપશ્ચર્યામાં પ્રવૃત્ત થાય છે તે બધા દ્વવ્યો અને બધાં પર્યાને જાણનાર તેમજ અન્ય જ્ઞાનેથી ન પશેલું જ્ઞાન કેવળ જ્ઞાન કહેવાય છે. આજ જ્ઞાન મોક્ષનું સાધક હોય છે કે ૪૧ છે
તવાર્થનિયુક્તિ-અગાઉ સમ્યકજ્ઞાનને મોક્ષનું સાધન કહ્યું છે. હવે તેના મૂળ ભેદનું પ્રતિપાદન કરીએ છીએ
પૂર્વોકત સમ્યક્રૂઝાન પાંચ પ્રકારનું છે–(૧) મતિજ્ઞાન (૨) શ્રતજ્ઞાન (૩) અવધિજ્ઞાન (૪) મનઃ પર્યાવજ્ઞાન અને (૫) કેવળજ્ઞાન એમના અવાન્તર ભેદ અનેક પ્રકારથી છે જેમનું કથન હવે પછી કરવામાં આવશે.
મનન કરવું મતિ કહેવાય છે, જાણવું અર્થાત વસ્તુના સ્વરૂપનું અવધારણ કરવું જ્ઞાન છે. મતિરૂપ જ્ઞાન મતિજ્ઞાન એને આભિનિબે ધિક જ્ઞાન પણ કહે છે. પંચે ઈન્દ્રિયોથી અને મનથી જે અક્ષરાત્મક બંધ થાય છે, તે મતિજ્ઞાન સમજવું જોઈએ.
જે સાંભળી શકાય તે કૃત, શ્રત શબ્દનો જ પર્યાય છે કારણ કે શબ્દ જ સાંભળી શકાય છે. શ્રુત સંબંધી જ્ઞાન શ્રતજ્ઞાન કહેવાય છે. અથવા શ્રવણને શબ્દજ્ઞાન વિશેષ ને શ્રત કહે છે. અહીં ભાવમાં “કત પ્રત્યય લાગે છે. કઈ વકતા દ્વારા બેલાયેલા શબ્દોને સાંભળ્યા બાદ તે શબ્દના અર્થનું જે જ્ઞાન
શ્રી તત્વાર્થ સૂત્ર ૨
૨ ૭૫