Book Title: Tattvartha Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
જેમ, કેશના ફાટવાથી એરંડાના બીજની માફક, ઈધણુથી વિમુકત ધૂમાડાની સમાન અને ધનુષ્યથી છુટેલા બાણની સમાન છે ૬ છે
તત્વાર્થદીપિકા-પહેલા નિસ્ટંગતા આદિ હેતુઓથી મુકતામાની ગતિ વિધાન કર્યું, આ સૂત્રમાં દષ્ટાંતો દ્વારા તેની પુષ્ટિ કરીએ છીએ (૧) જેમ કઈ સક તુંબડું હોય, છિદ્ર વગરનું હોય, તેને માટીના આઠ લેપથી લીપીને તડકામાં રાખીને સુકાવી દેવામાં આવે, પછી તેને પાણીમાં નાખવામાં આવે તો લેપયુક્ત હોવાના કારણે વજનદાર હેવાથી તે જળના તળભાગમાં જઈને સ્થિર થાય છે. પછી ધીમે-ધીમે લેપના દૂર થવાથી તે સ્વભાવતઃ પાણીની શ્રી ઉપર આવી જાય છે. આવી જ રીતે કમ–લેપ દૂર થવાથી સિદ્ધજીવ પણ ઉદર્વગમન કરે છે. (૨-૩) આ જ પ્રમાણે નિરંગણું હોવાથી અર્થાત મેહના દર થઈ જવાથી પણ અકમી જીવની ગતિ થાય છે (૪) અન્યને નાશ થવાથી પણ કમરહિત જીવ ગતિ કરે છે જેવી રીતે એરંડાનું ફળ તડકો લાગવાથી જ્યારે સુકાઈ જાય છે ત્યારે તેને કોશ ફાટી જાય છે અને અંદર બીજ ઉપર ઉચકાય છે એ જ રીતે બધ દૂર થઈ જવાથી અકર્મક જીવ પણ ઉદર્વગમન કરે છે. (૫) ઈધણથી વિમુકત ધુમાડાની વ્યાઘાતના અભાવ માં સ્વભાવથી જ ઉર્ધ્વગતિ થાય છે, તેવી જ રીતે અકર્મ જીવની પણ ઉદર્વ. ગતિ થાય છે. (૨) પૂર્વ પ્રયોગથી પણ સિદ્ધ જીવ ઉર્ધ્વગમન કરે છે. જેવી રીતે કાન સુધી ધનુષ્યની દેરીને ખેંચીને પુરુષ બાણ છોડે છે. આ બાણ પુરૂષના વ્યાપાર વગર પણ પૂર્વ પ્રગથી ગતિ કરે છે તેવી જ રીતે સિદ્ધ જીવ પણ પૂર્વ પ્રયોગથી ગમન કરે છે. તાત્પર્ય એ છે કે જે કર્મના કારણે તેની પહેલા ગતિ થતી તેને ક્ષય થઈ જવા છતાં પણ સંસ્કારને વિચછેદ ન થવાથી તે ગતિને હેતુ થાય છે. આમ આ છ દૃષ્ટાંતથી અકમક જીવની ગતિ સિદ્ધ થાય છે. જે ૬ છે
શ્રી તત્વાર્થ સૂત્ર ૨
૩૧ ૨