Book Title: Tattvartha Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અન્ય કારણોને અભાવ થઈ જવાથી તદાવરણીય કર્મના ક્ષયથી સમ્યકદર્શન આદિની ઉત્પત્તિ થવાથી નવીન કર્મો બંધાતા નથી અને તપના અનુષ્ઠાન આદિથી પર્વોપાર્જિત કર્મોને ક્ષય થઈ જાય છે ત્યારે મોહનીયનમને ક્ષય થઈ જવાથી જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અન્તરાય કમેના આત્યન્તિક-હમેશને માટે ક્ષય જાય છે. ભવધારણીય વેદનીય, નામ, ગોત્ર અને આયુષ્ય કમેને ક્ષય થઈ જાય છે. - વાતિકર્મને ક્ષય થતાં જ સમસ્ત દ્રવ્યો અને પર્યાને જાણનારા,પરમ અશ્વયથી યુક્ત, અનન્ત, અનુત્તર (સર્વોત્કૃષ્ટ) નિર્વાઘાત, નિરાવરણ, સંપૂર્ણ કેવળદર્શન અને કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે. આમને પ્રાપ્ત કરીને જીવ શાહ થઈ જાય છે. સઘળાં કર્મમાત્ર, ક્ષીણ થવાથી બુદ્ધ સર્વજ્ઞ, સર્વદશી), જિન અને કેવળી બની જાય છે. આ સમયે અત્યન્ત હલકા શુભ વેદનીય નામ, ગોત્ર અને આયુષ્ય કર્મો શેષ રહી જાય છે. આવી સ્થિતિમાં આયુષ્યકમને સંસ્કાર વશ તે ચન્દ્રમાની જેમ ભવ્યજીવ રૂપી કુમુદવનેને વિકસિત ઉધિત કરવાને માટે ભૂમંડળમાં વિચરે છે. તદનન્તર ઉક્ત વિધિ અનુસાર આયુષ્યકર્મની સમાપ્તિ થવાની સાથે જ વેદનીય, નામ અને ગોત્ર કમેને પણ ક્ષય થઈ જાય છે. આ રીતે સકળ કને ક્ષય થવાથી પિતાનું આત્મામાંજ અવસ્થિત થઈ જવા રૂપ મેક્ષ થાય છે.
અહીં પાંચ પ્રકારના જ્ઞાનાવરણનું નવ પ્રકારના દર્શનાવરણને (૧) અઠયાવીશ પ્રકારના મહનીયને (૨) બે પ્રકારના વેદનીયને (૩) ત્રણ પ્રકારના નામકર્મને, ચાર પ્રકારના આયુષ્યકમનો–પ્રકારનું ગોત્ર કર્મને અને પાંચ પ્રકારના અંતરાય કર્મને એ રીતે બધા મળીને એકસે અડતાળીશ ૧૪૮) કર્મ પ્રકૃતિઓને ક્ષય સમજવું જોઈએ. આમાંથી અવિરત સમ્યક દૃષ્ટિ, દેશવિરત, પ્રમત્તસંયત અને અપ્રમત્તસંયત ગુણસ્થાનમાંથી કોઈ ગુણસ્થાનમાં મોહનીય કમની સાત પ્રકૃતિઓ ચાર અનન્તાનબન્ધી અને દર્શન મેહનીયની ત્રણ મિથ્યાત્વ, સમ્યકત્વ મેહ અને મિશ્ર ક્ષીણ થાય છે. અનિવૃત્તિ ગુણસ્થાનમાં મોહનીયકર્મની વીસ પ્રકૃતિઓને ક્ષય થાય છે અને નામકની તેર પ્રકતિઓને ક્ષય થાય છે જે આ પ્રમાણે છે નરકગતિ, નરકગત્યાનુપૂર્વી તિર્યગતિ, તિર્યગ્નત્યાનુપૂર્વી, એકેન્દ્રિય જાતિ, દ્વિઈન્દ્રિય જાતિ, ત્રિીન્દ્રિય જાતિ ચતુરિન્દ્રિય જાતિ, આતપ, ઉદ્યોત. સ્થાવર સક્ષમ અને સાધારણ નિદ્રા નિદ્રા પ્રચલા પ્રચલા અને ત્યાનદ્ધિ નામક દર્શનાવરણની ત્રણ પ્રકારની પ્રકૃતિઓને ક્ષય થાય છે. મેહનીય પ્રકૃતિઓમાંથી ક્રમથી ચાર અપ્રત્યાખ્યાની ક્રોધ આદિ ચાર પ્રત્યાખ્યાની ક્રોધ આર્દિને ક્ષય થાય છે. પછી નપુંસકવેદ, સ્ત્રીવેદ, હાસ્ય રતિ અરતિ, શાક, ભય, જુગુપ્સા, પુરૂષવેદ તથા સંજવલન ક્રોધ માન તથા
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨
૩૦૬