________________
१ पुत्तें जाए कवणु गुणु, अवगुणु कवण मुएण।
जउ बप्पोंकी मूंड्डी चंपीज्जइ अवरेण ॥ ફિગરા નર વારિક ઘણા, તા #િમિ
अम्हाहिं बि हत्थडा, जह पुणु मारि मराहुं ॥
આ નમુનાની ભાષાને “ગુજરાતીભાષા” એ નામ આપવા કરતાં “અપભ્રંશ ભાષા” એ નામ આપવું વધારે સારું છે. એના શબ્દો અને પ્રત્ય ગુજરાતીભાષાથી એટલા બધા જુદા પડે. છે કે આપણે તેને ગુજરાતી ભાષા તરીકે ઓળખી શકીએ નહિ. હેમાચાર્ય પોતે પિતાના સમયની આ ભાષાને અપભ્રંશ' નામ આપે છે અને મારા સમજવા પ્રમાણે એજ તેનું ખરું નામ છે.
પ્રબંધ ચિંતામણિ” “ચતુર્વિશતિપ્રબંધ' વગેરે ચૌદમાં શતકના ગ્રંથમાં સંગ્રહાએલા દેહરાઓ એ કાળની ભાષાના નમુના રૂ૫ માની શકાય નહિ. પાછલાં બે ત્રણ શતકેના ઐતિહાસિક પુરૂષને ઉદ્દેશીને એ દેહરા રચાયેલા છે અને તે આ પ્રબંધના કર્તાઓએ પોતે રચેલા નહિ પણ બીજાં પુસ્તકમાં સંગ્રહાયેલા તથા લોકોક્તિમાં ચાલતા આવેલા તે સંગ્રહ્યા છે. જૂની ગુજરાતી કરતાં અપભ્રંશ ભાષા સાથે તે વધારે મળતા આવે છે. સંવત ૧૪૭૦ની આસપાસમાં થયેલા શ્રીધર કવિનું કવિત ભાગવત )
૧ જે બાપતી જમીન બીજાઓથી દબાવાય તે પુત્ર જન્મવાથી શું ફળ અને મરવાથી શું નુકશાન . હૈયા! જે વેરી ઘણું છે તે શું આભે ચડીશ? (દુશ્મનની પેઠે) અમારે પણ બે હાથ છે, કાં તે મારીશું અથવા મરીશું.