Book Title: Sutrakritanga Sutra Part 04
Author(s): Manekmuni
Publisher: Mohanlal Jain Shwetambar Gyanbhandar

View full book text
Previous | Next

Page 363
________________ અપભ્રંશ ભાષા ગુજરાતીભાષા તરીકે ઓળખાતી થઈ તે પહેલાં ઘણાખરા પ્રાકૃતિકગ્રંથ ઉપર સંસ્કૃત ટીકાઓ લખાઈ ગઈ હતી અને નવી ગ્રંથ. રચના ઘણુંખરૂ સંસ્કૃતમાંજ થતી હતી. મુસલમાની રાજઅમલમ આ પરંપરા તૂટી. રાજક્તઓના જુલમથી હિંદુઓના ધર્મ અને ધર્મગ્રંથને સંતાઈ રહેવાની જરૂર પડી. પઠન પાઠનની પરંપરા તૂટી ગઈ. વ્યવહાર અને વિદ્યારે તે પહેલાં પણ બનતું નહોતું, તે અણબ નાવ હવે વધે. જોકે કેવળ અભણ થયા એટલુંજ નહિ પણ બ્રાહ્મણ વગેરે ઉપદેશવર્ગમાં પણ વિદ્યાના ઉંડા અભ્યાસ –ની તાણ પડતી ગઈ. અવિદ્યા અંધકારમાં લેકભાષાના શબ્દો ગમેતેમ ધકેલાવા લાગ્યા અને મુસલમાનોના સહવાસથી અરબી ફાસીને ભેળ થવા માંડ્યો. આ સ્થિતિમાં ગુજરાતી ભાષાને જન્મ થયે. સંસ્કૃત દુપ્રાપ્ય થતું ગયું તેમ તેમ દેશ્યભાષાના સાહિત્યની જરૂર વધતી ગઈ. લેકભાષા અને વિદ્યાને મેળ નહિ મળવાને લીધે લોકભાષા કેવળ વ્યવહારોપયોગી શબ્દોની બની ગઈ હતી. તેને હવે સાહિત્ય સાથે સંબંધ બંધાયે. સંસ્કૃતના ભોગે દેશ્યભાષા હવે પોષાવા લાગી. કથાવાર્તા કરનાર ઉપદેશકલેકેની અનુકૂળતા માટે સંસ્કૃત ગ્રંથે ઉપર ગુજરાતી ટીકાઓ લખાવા માંડી તેમજ લંકાની ધર્મજીજ્ઞાસાનું પિષણ કરવા પૌરાણિક આખ્યાના દેશ્યભાષામાં અનુવાદ થવા લાગ્યા બ્રાહ્મણોને સંસ્કૃતમાંથી આખ્યાને ઉતારવાનાં હતાં તેમ જેનોને પણ સંસ્કૃતમાંથી રાસ ઉતારવાના હતા. સંસ્કૃતમાંથી ઉતારાતી કથાઓમાં સંસ્કૃતભાષા તદ્દન લપાઈ ગઈ હતી એમ કહેવાને હેતુ નથી. આ કાળમાં અને તે પછીના કાળમાં પણ સંસ્કૃતમાં ગ્રંથરચના થઈ છે. કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે સંસ્કૃતજ્ઞાનની સપાટી હેઠી ઉતરી ગઇ હતી.

Loading...

Page Navigation
1 ... 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396