Book Title: Sutrakritanga Sutra Part 04
Author(s): Manekmuni
Publisher: Mohanlal Jain Shwetambar Gyanbhandar

View full book text
Previous | Next

Page 362
________________ આકારવાળાં રૂપ કરતાં જૂના ગ્રંથમાં લખાયેલાં ઈકોર ઉકારવાળાં રૂપિ વધારે શુદ્ધ અને વધારે કમળ માનીને તેમણે જૂની ગુજરાતીના - શબ્દો અને જૂની ગુજરાતીનાં રૂપે વાપરવાનું વાજબી ધાર્યું હોય એ બનવાજોગ છે. નવી ગુજરાતીના જૈન કવિઓ માટે આ વાત આટલી ખરી છે; પણ જૂની ગુજરાતીના જૈન કવિઓ માટે તેમ કહી - શકાય એવું નથી. જૂની ગુજરાતીના કાળના બ્રાહ્મણ કે જેન હરકોઈ કવિનાં કાવ્ય એક સરખાં છે. કદાચ જેકવિઓ કાવ્યમાં અપભ્રંશ કે પ્રાકૃત શબ્દો વધારે વાપરતા હશે, ને બ્રાહ્મણકવીએ સંસ્કૃત - શબ્દો વધારે વાપરતા હશે, પણ અપભ્રંશ પ્રાકૃત તરફ અણગમે બેમાંથી એકેને નથી. અપભ્રંશ પ્રાકૃત એ કાળે ઉતરી ગયેલી ભાષા હતી, પણ એનું સાહિત્ય લેકોક્તિઓ અને પુસ્તકોમાં હયાત હતું. અપભ્રંશ પ્રાકૃત આપણને જેટલી અજાણી લાગે છે તેટલી તે -કાળના લોકોને અજાણી લાગતી નહતી. ઉલટી સંસ્કૃત કરતાં તે વધારે પરિચિત ભાષા હતી, જેનકવિઓ પાસે એ ભાષાને બહેળો સંગ્રહ હતા અને તેને તેઓ અભ્યાસી હતા, એથી કાવ્યમાં વ્યાવ- હારિક શબ્દ ઉપરાંતના શબ્દો જોઈએ તે તેઓ ચોથી પેઢીની સંસ્કૃત ભાષામાં લેવાને બદલે સગી મા અપભ્રંશ કે વડીઆઈ પ્રાકૃતમાથી વધારે લેતા હોય તે તે બનવાજોગ છે. મને નથી લાગતું કે -આમ કરવા માટે જૈનકવિઓ દોષપાત્ર હોય અથવા એમની ભાષા તે ગુજરાતી ભાષા નથી એમ કહેવું યોગ્ય હોય. મુસલમાની રાજ્યકાળ પહેલાં બ્રાહ્મણ ગ્રંથકારો ધર્મ અને ‘વિધાસંબંધીના સર્વ ગ્રંથ સંસ્કૃત ભાષામાં રચતા હતા. વિક્રમસંવતના છઠ્ઠા સૈકા પછી જૈનગ્રંથકારો પણ સંસ્કૃત ઉપર વળી ગયા હતા.

Loading...

Page Navigation
1 ... 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396