________________
૧૬૦૧માં ભારતનાં વિરાટ વગેરે પ ગુજરાતીમાં રહ્યાં છે,
એની સંવત ૧૭૧૧માં લખાયેલી પ્રતિ મારી પાસે છે, જેમાં પ્રકાર ‘ઉકારવાળાં બધાં રૂપ ફેરવીને એકાર આકારવાળાં બનાવી દીધાં છે.
એજ પ્રમાણે સંવત ૧૬૨૪માં રચાયેલું અને સંવંત ૧૭૧રમાં લખાયેલું વસ્તાનું શાતિપર્વ સંવત ૧૭૧૪માં લખેલે વજીઆ કવિકૃત “સીવરા મંડપ, સંવત ૧૭૧૭માં લખાયેલું ફૂદા વિકૃત રૂક્ષમણી હરણ” એ વગેરે ગ્રંથમાં ઈકોર ઉકારવાળાં રૂપને બદલે એકાર આકારવાળાં રૂપ છે. એ ઉપરથી એવી ખાત્રી થાય છે કે સંવત ૧૭૦૦ પછી લોકોમાં ઈકાર ઉકારવાળા ઉચ્ચાર ચાલતા - હતા, પણ શિષ્ટજનેમાં એકાર આકારવાળાં રૂ૫ રૂઢ થઈ ગયાં હતાં.
અને એ કાળના લેખકે તેમજ કવિઓ એ નવાં રૂપને પ્રમાણભૂત માનતા હતા.
આ અને આવા પ્રસિધ્ધમાં આવેલા અને પુરાવા જોયા પછી શું આપણી ખાત્રી થાય એવું નથી કે સેળમા શતકની ભાષા તે હાલની ગુજરાતી ભાષા જેવી નહિ પણ તેને પૂર્વસ્વપની ભાષા હતી. અને ઈંકાર ઉકારવાળા રૂપ તે જેનભાષાનાં નહિ પણ જૂની ગુજરાતી ભાષાનાં છે. ઉત્તર ગુજરાત અને કાઠિયાવાડના કેટલાક ભાગમાં તે હજુ સુધી કેટલાક જૂના શબ્દો અને જૂનાં રૂપે વપરાય છે.
સાંકળવાસી' એમ કહેવાને બદલે “સાંકળ વાખી,” “કહે. છે” ને બદલે કિસિ પાને બદલે મૂવું એ આવ્યા” એને બદલે ઈ આવ્યા, એમનું” એને બદલે ઈમનું” એવા ઉચ્ચાર હજી ચાલે છે. ભીખ માગવા ફરતા ઉત્તર ગુજરાતના બ્રાહ્મણો ‘શંકર વસિરે કૈલાસમાં એ પદ લલકારે છે. ઉત્તર ગુજરાતના રાઈઆ મૂહું,