________________
સંથારા - પોરિસી સૂત્ર
૧૪૫
નિમાોણ? શ્વાસ રોકીને જુએ દ્રવ્યાદિના ચિંતનથી પણ નિદ્રા ન જાય તો સાધક બે આંગળી વડે નાસિકાને પકડી શ્વાસને રોકે. આ રીતે નિ:શ્વાસનો વિરોધ કરવાથી શ્વાસ લેવાની પ્રક્રિયા અટકી જવાને કારણે નિદ્રા તરત ઊડી જાય છે. જ્યારે નિદ્રા ઊડી જાય ત્યારે સાધક બહાર નીકળવાના દ્વારને જુએ અને બહાર સુધી પ્રમાર્જના કરતો કરતો માત્ર આદિ માટે જાય.
માત્રુ આદિ કરીને વોસિરાવીને પાછો સંથારા પાસે આવી ‘ઇરિયાવહિ' પ્રતિક્રમણ કરે, પછી ઓછામાં ઓછી ત્રણ ગાથાઓનો સ્વાધ્યાય કરીને જ પુનઃ સુવે. આ પદો બોલતાં સાધક વિચારે કે,
કાસાગર પરમાત્માએ અમારી કેટલી ચિંતા કરી છે. માત્ર મોક્ષમાર્ગ બતાવ્યો છે તેવું નથી, પરંતુ આ માર્ગ કઈ રીતે ચાલવું, માર્ગે ચાલતાં શ્રમિત થઈ જવાય તો શું કરવું, શ્રમ ઉતારવા નિદ્રાધીન થયા બાદ શારીરિક કારણોસર ઊઠવું પડે તો શું કરવું તેની કેટલી કાળજી લીધી છે. જણાવવા યોગ્ય જણાવવામાં તેઓશ્રીએ કાંઈ બાકી રાખ્યું નથી. હવે મારે મારી સ્વચ્છન્દવૃત્તિનો ત્યાગ કરી પ્રત્યેક કાર્ય તેમની આજ્ઞા મુજબ જ કરવાનો સંકલ્પ કરવો છે, તો જ મારું કલ્યાણ થશે.”
17. અહીં પ્રચલિત પાઠ સ્લીનિપાત્રો છે પણ ઓઘનિર્યુક્તિ, ધર્મસંગ્રહ ઇત્યાદિ ગ્રંથોમાં
Tળસાનિમાત્ર એવો પાઠ છે. વિચારતા જો કે એવું લાગે કે ઊંઘ ઊડાડવા માટે શ્વાસને રોકવાનો છે. તેથી પાઠમાં ફેરફાર કર્યો નથી.