Book Title: Sutra Samvedana Part 06
Author(s): Prashamitashreeji
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 204
________________ પૌષધની વિધિઓ અને તેના કારણો ૧૯૧ દાણા નીચે ન પડે તેનો ખ્યાલ રાખવો. જમતાં ઉતાવળ પણ ન કરવી અને બહુ વાર પણ ન કરવી. જરા પણ એંઠું મૂકવું નહિ, થાળી ધોઈને પાણી પી જવું અને ત્યારબાદ પોતાના રૂમાલથી થાળી આદિને એકદમ કોરા કરી લેવા જેથી તેમાં સંમૂર્છાિમ જીવની ઉત્પત્તિ ન થાય. વાપરી લીધા પછી થાળી લૂછવાના કપડાને પાણીથી કે સોડા આદિ દ્વારા સ્વચ્છ કરવું. ૫. વાપરીને ઊઠતાં તિવિહારનું પચ્ચખાણ કરવું અને નવકાર ગણીને ઊઠવું. પછી કાજો લઈ પરઠવી પૌષધશાળાએ જવું અને ત્યાં ત્રણવાર નિશીહિ કહી પ્રવેશ કરવો. ૬. આહાર કરીને પૌષધશાળામાં આવ્યા પછી ઇરિયાવહિયં કરી, સો ડગલાથી ઉપર હોય તો ગમણાગમણે આલોવી, જગચિંતામણિનું ચૈત્યવંદન જયવીયરાય સુધી કરવું. ૭. પાણી પીવું હોય ત્યારે યાચીને લાવેલું અચિત્ત પાણી કટાસણા ઉપર બેસીને પીવું અને પીધેલું વાસણ લૂછી એકદમ કોરું કરીને મૂકવું. ૧૦. સાંજની પડિલેહણની વિધિ : બપોરનું વાપરીને આવ્યા પછી પૌષધવ્રતધારી શ્રાવકોએ પ્રમાદનો ત્યાગ કરી સ્વાધ્યાય કરવો જોઈએ. જ્ઞાન પાંચમ, મૌન એકાદશી, ચોમાશી ચૌદસ આદિ મોટાં પર્વના દિવસો હોય તો દેવ વાંદવા, ત્યારપછી ગુરુમહારાજ સ્થાપનાચાર્યનું પડિલેહણ કરી લે તે પછી નીચે જણાવેલી વિધિ પ્રમાણે સાંજના પડિલેહણ કરવા. ૧. પ્રથમ ખમા આપી “ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! બહુપડિયુવા પોરિસી' કહી, ગુરુ ‘તહતિ' કહે ત્યારે એક ખમાસમણ આપી “ઈચ્છાકારેણ સંદિસહ ભગવત્ ! ઈરિયાવહિયં પડિક્કમામિ ?” ગુરુ “પડિક્કમેહ' કહે ત્યારે ‘ઈચ્છે' કહી, ઈરિયાવહી પડિક્કમવા. પછી ખમાસમણ આપી, ‘ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! ગમણાગમણે આલોઉં ?” નો આદેશ માંગી ગુરુ “આલોએહ' કહે પછી ઈચ્છ, કહી ગમણાગમણે આલોવવા. ૨. પછી ખમાસમણ આપી ‘ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્!' પડિલેહણ કરું ?' એવું ગુરુને પૂછી, ગુરુ ‘પડિલેહ કહે ત્યારે “ઈચ્છે' કહી ખમાસમણ આપી ‘ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! પોસહશાલા

Loading...

Page Navigation
1 ... 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250