________________
૨૦૪
સંસ્કૃત છાયા
સૂત્ર સંવેદના-૬
१ - नमस्कारसहितं मुष्टिसहितम्
उगते सूर्य नमस्कारसहितं मुष्टिसहितं प्रत्याख्याति / प्रत्याख्यामि । चतुर्विधम् अपि આહારમ્-મશનં, પાન, સ્વામિ (વાઘ), સ્વામિ (સ્વાદ્યમ્) અન્યત્ર અનામોમેન सहसाकारेण महत्तराकारेण सर्वसमाधिप्रत्ययाकारेण व्युत्सृजति/व्युत्सृजामि ।
શબ્દાર્થ :
(૧) નવકારસહિત મૂઠીસહિત
સૂર્યોદયથી બે ઘડી સુધી ‘નમસ્કારસહિત મૂઠીસહિત’ પચ્ચક્ખાણ કરે છે. (હું પચ્ચક્ખાણ કરું છું.) (તે માટે સૂર્યોદયથી બે ઘડીનો સમય પસાર થયા પછી જ્યાં સુધી હું નવકાર ગણી, મૂઠીવાળી છોડું નહિ ત્યાં સુધી) અશન-પાન-ખાદિમસ્વાદિમ એ ચાર પ્રકારના આહારનો (૧) અનાભોગ, (૨) સહસાકાર, (૩) મહત્તરાકાર, (૪) સર્વસમાધિપ્રત્યયાકાર એ આગારો (છૂટ) રાખી ત્યાગ કરે છે (હું ત્યાગ કરું છું).
વિશેષાર્થ :
૩૫ સૂરે નમુવારસહિયં-મુદ્ધિસદ્દિગં - સૂર્યોદયથી બે ઘડી સુધી મૂઠીવાળીને નવકાર ગણીને પચ્ચક્ખાણ ન પારું ત્યાં સુધી
સાધુની જેમ શ્રાવકને મોટા ભાગે રાત્રિભોજનનો ત્યાગ હોય છે. રાત્રિ પૂર્ણ થતાં, તેની એ પ્રતિજ્ઞા પણ પૂર્ણ થાય છે અને તેને ફરી આહાર કરવાની છૂટ થાય છે. આહા૨સંજ્ઞા તેને આહા૨ ક૨વા પ્રેરે છે. આમ છતાં તે સમજે છે કે મારો સ્વભાવ તો અણાહારી છે; પણ હું કર્મના ઉદયથી શરીર સાથે સંકળાયેલો છું. શરીર આહાર વિના ટકે તેમ નથી, અને આ શરીર વિના મોક્ષની સાધના શક્ય નથી, તેથી શરીરને ટકાવવા પૂરતાં આહાર-પાણી આપવા જરૂરી છે; પરંતુ આહાર-પાણી લેતાં તેની મમતા ન નડી જાય કે તેની આસક્તિ અતિશયિત ન થઈ જાય તે માટે આહાર આદિમાં વિવિધ નિયંત્રણો કરવા પણ અતિ જરૂરી છે. આવી સમજણપૂર્વક શ્રાવક યથાશક્તિ આયંબિલ આદિ પચ્ચક્ખાણ કરવા વિચારે છે. તેવી શક્તિ ન હોય તો જેટલા સમય સુધી આહાર વિના ચાલે એવું હોય તેટલા