________________
૫. અનુપાલનશુદ્ધિ
૬. ભાવશુદ્ધિ
પચ્ચક્ખાણનાં સૂત્રો
‘પચ્ચક્ખામિ' અને ‘વોસિરઈ' કહે ત્યારે ‘વોસિરામિ’ કહેવું જોઈએ.
૨૦૩
આપત્તિના સમયમાં પણ પચ્ચક્ખાણને સ્થિર ચિત્તે પાળવું જોઈએ
એક માત્ર કર્મનિર્જરાના હેતુથી પચ્ચક્ખાણ કરવું જોઈએ, પણ રાગ, દ્વેષાદિ, કષાયને આધીન થઈ કે માન-સન્માન કે પ્રભાવના આદિ રૂપ આલોકની ઇચ્છાથી તથા સ્વર્ગની પ્રાપ્તિ થાય તે રૂપ પરલોકની ઇચ્છાથી ન ક૨વું જોઈએ.
-
આવતાં કર્મોને અટકાવવા એટલે કે આશ્રવ દ્વારોનો રોધ કરવો એ પચ્ચક્ખાણનું સર્વવિદિત ફળ છે. આ ઉપરાંત પચ્ચક્રૃખાણ કરવાથી ત્યાગવૃત્તિ ખીલે છે અને ભોગવૃત્તિનો - અનાદિકાળથી ચિત્તમાં પ્રવર્તતી તૃષ્ણાનો છેદ થાય છે. ઉપશમ પ્રગટે છે. ચારિત્રધર્મ વિકસે છે. જૂના કર્મનો નાશ થાય છે અને પરંપરાએ અપૂર્વકરણ આદિ દ્વારા જીવ છેક કેવળજ્ઞાન પામી, મોક્ષના મહાન આનંદને માણે છે.
આ પચ્ચક્ખાણના સૂત્રો પર શ્રી ભદ્રબાહુસ્વામીએ નિર્યુક્તિ રચી છે અને તેના ઉ૫૨ શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ ચૂર્ણિ પણ રચી છે. શ્રી દેવેન્દ્રસૂરિ દ્વારા લખાયેલ પચ્ચક્ખાણભાષ્ય, શ્રી સોમસુંદરસૂરિ રચિત અવસૂરિ અને શ્રી જ્ઞાનવિમલસૂરિ રચિત ટીકા આ વિષયની ઘણી સમજ આપે છે. પચ્ચક્ખાણ સંબંધી વિશેષ જાણવાની ઈચ્છાવાળાએ ગુરુગમથી આ સર્વનો અભ્યાસ કરવો જોઈએ.
મૂળ સૂત્ર :
5. પોતે કરે તો પદ્મવસ્વામિ બોલવું. એમ સર્વત્ર જાણવું. 6. પોતે કરે તો વોસિરામિ બોલવું. એમ સર્વત્ર જાણવું.
१ - नमुक्कारसहिअं मुट्ठिसहिअं
उग्गए सूरे, नमुक्कारसहिअं मुट्ठिसहिअं पचक्खाई / परचक्खामि चडव्विहं पि आहारं असणं पाणं खाइमं साइमं, अनत्यणाभोगेणं सहसागारेणं महत्तरागारेणं सव्वसमाहिवत्तियागारेणं' वोसिरई/वोसिरामि ।।