________________
પચ્ચખ્ખાણનાં સૂત્રો
૨૦૫
સમય સુધી આહારના વિકલ્પોથી મુક્ત રહેવા તે સૂર્યોદયથી ૨ પ્રહર, ૧/, પ્રહર ઇત્યાદિ સુધી આહાર ન લેવો તેવી પ્રતિજ્ઞા કરે છે. એવી પણ શરીરની શક્તિ ન હોય તો છેલ્લે “સૂર્યોદય પછી બે ઘડી સુધી મારે આહાર-પાણી ન લેવા' - તેવું પચ્ચક્ખાણ કરે છે. જેને નવકારશીનું પચ્ચખાણ કહેવાય છે. નવકારશીનું પચ્ચખાણ અદ્ધા એટલે કાળ સાથે સંકળાયેલું પચ્ચખાણ કહેવાય છે. તે મુદિસહિએ આદિ સંકેત પચ્ચક્માણ સાથે કરવામાં આવે છે. તેમાં પચ્ચક્ખાણનો સમય પૂર્ણ થાય ત્યારે એક આસને બેસી મૂઠી વાળી ત્રણ નવકાર ગણી તેને પાળવામાં આવે છે. પરવાફ /પષ્યામિ પચ્ચકખાણ કરે છે / હું પચ્ચકખાણ કરું છું. આત્માનું જેનાથી અહિત થાય તેવા અનિષ્ટ કાર્યોનો અરિહંતાદિની સાક્ષીએ જે નિષેધ કરાય છે અર્થાત આ કાર્ય હું નહિ કરું તેવો જે સંકલ્પ કરાય છે, તેને પચ્ચકખાણ કહેવાય છે.
પચ્ચક્કાણ કરવું એટલે ત્યાગ કરવાની પ્રતિજ્ઞા કરવી; તે સંસ્કૃત પ્રત્યાધ્યાન શબ્દનું પ્રાકૃતસ્વરૂપ છે. તેનો અર્થ કરતાં શાસ્ત્રમાં જણાવ્યું છે કે, • મન-વચન-કાયા વડે કંઈ પણ અનિષ્ટનો જેનાથી પ્રતિષેધ થાય છે તે
પ્રત્યાખ્યાન છે. • કોઈપણ વસ્તુનું પ્રતિકૂલ ભાવથી મર્યાદાપૂર્વક કથન કરવું તે પ્રત્યાખ્યાન. • પ્રતિષેધનું આખ્યાન (કથન) કરવું તે પ્રત્યાખ્યાન. • અવિરતિને પ્રતિકૂળ અને વિરતિભાવને અનુકૂળ એવું કથન તે પ્રત્યાખ્યાન છે.
ટૂંકમાં અવિરતિના ભાવથી અટકીને વિરતિભાવને સન્મુખ થવાનો યત્ન તે પચ્ચખાણ છે.
ત્રિદ જિ મારા મvi પાપ શારૂ સારૂ - અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ એ ચારે પ્રકારના આહારને
7. પ્રત્યાહ્યાન : પ્રતિ + મા + ધ્યાન, પ્રતિ અને મા ઉપસર્ગ પૂર્વકનો ‘હ્ય' ધાતુ છે. ધ્યા
ધાતુનો અર્થ કથન કરવું થાય છે. તેથી પ્રત્યાખ્યાન એટલે મર્યાદાપૂર્વક પ્રતિકૂળપણે કથન કરવું એવો થાય છે. અર્થાત્ આત્માનું અહિત કરનારા કાર્યોનો વચનપ્રયોગ દ્વારા ત્યાગ કરવો તેનું નામ પચ્ચક્માણ'