________________
પચ્ચખ્ખાણનાં સૂત્રો
૨૧૧
સંસ્કૃત છાયાઃ
. ३ पूर्वार्धम्, अपरार्धम् । उद्गते सूर्य, पूर्वार्धम्, अपरार्धम् मुष्टिसहितं प्रत्याख्याति/प्रत्याख्यामि । चतुर्विधमपि आहारम् - अशनं, पानं, खादिमं (घ), स्वादिमं (द्यम्) अन्यत्र अनाभोंगेन सहसाकारेण प्रच्छन्नकालेन दिग्मोहेन साधुवचनेन महत्तराकारेण सर्वसमाधिप्रत्ययाकारेण व्युत्सृजति/ વ્યનામિ ! શબ્દાર્થ :
(૩) પુરિમષ્ઠ, અવઢ સૂર્યોદયથી પૂર્વાર્ધ એટલે બે પહોર સુધી અથવા અપરાધ એટલે ત્રણ પહોર સુધી (નમસ્કારસહિત) મૂઠી સહિત પચ્ચક્ખાણ કરે છે | હું પચ્ચકખાણ કરું છું. (તેથી સમય થયા પછી જ્યાં સુધી હું મૂઠીવાળીને ત્રણ નવકાર ન ગણું ત્યાં સુધી) ચારે પ્રકારના આહારનો એટલે અશન, પાન, ખાદિમ અને સ્વાદિમનો (૧) અનાભોગ (૨) સહસાકાર. (૩) પ્રચ્છન્નકાલ. (૪) દિમોહ. (૫) સાધુવચન. (૬) મહત્તરાકાર. (૭) સર્વસમાધિપ્રત્યયાકાર; એ આગાર-પૂર્વક ત્યાગ કરે છે | હું ત્યાગ કરું છું. વિશેષાર્થ :
પૂર્વના પચ્ચખાણની જેમ અહીં પણ માત્ર કાળ મર્યાદાનો ફરક છે. સૂર્યોદયથી માંડીને બે પ્રહર જેટલો સમય દિવસનો પૂર્વાર્ધ કહેવાય છે ત્યાં સુધી ચારે આહારનો ત્યાગ કરવો એ પુરિમઠ (પૂર્વાર્ધ)નું પચ્ચક્માણ કહેવાય.
અવઢ એટલે અપરાધ અર્થાત્ દિવસનો મધ્યાહ્ન પછીનો ભાગ, સૂર્યોદયથી લઈને ત્રણ પ્રહર સુધી ચારે આહારના ત્યાગની પ્રતિજ્ઞા અવઢના પચ્ચકખાણમાં કરાય છે. નવકારશી આદિનું પચ્ચખાણ લેતાં સાધક વિચારે કે,
“આહાર લેવો તે મારો સ્વભાવ નથી, તોય ઊઠડ્યો ત્યારથી આહારસંશા મને પરેશાન કરી, આહારની ઇચ્છાઓ ઊભી કર્યા જ કરે છે. આ ઇચ્છાઓ ઉપર અંકુશ મૂકવા જ મેં