Book Title: Sutra Samvedana Part 06
Author(s): Prashamitashreeji
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 222
________________ પચ્ચખાણનાં સૂત્રો ૨૦૯ સંસ્કૃત છાયા ? ૨ પોષી, સારુષી उद्गते सूर्य नमस्कारसहितं पौरुषी सार्धपौरुषी मुष्टिसहितं प्रत्याख्याति/प्रत्याख्यामि। ક્રતે સૂર્યે ચતુર્વિધ આહારમ્ - અશ, , વદિ (ઈ), વાલમ () अन्यत्र अनाभोगेन सहसाकारेण प्रच्छन्नकालेन दिग्मोहेन साधुवचनेन महत्तराकारेण सर्वसमाधिप्रत्ययाकारेण व्युत्सृजति/व्युत्सृजामि। શબ્દાર્થ : (૨) પોરિસી અને સાઢપોરિસી સૂર્યોદયથી એક પહોર (કે દોઢ પહોર) સુધી નમસ્કારસહિત, મૂઠી સહિત પચ્ચખાણ કરે છે | હું પચ્ચખાણ કરું છું. તેથી સમય થયા પછી જ્યાં સુધી હું મૂઠીવાળીને ત્રણ નવકાર ન ગણું ત્યાં સુધી) ચાર પ્રકારના આહારનો એટલે અશન, પાન, ખાદિમ અને સ્વાદિમનો ૧. અનાભોગ. ૨. સહસાકાર. ૩. પ્રચ્છન્નકાલ. ૪. દિગ્બોહ. ૫. સાધુવચન. ૬. મહત્તરાકાર. ૭. સર્વસમાધિપ્રત્યયાકાર. એ આગારો-પૂર્વક ત્યાગ કરે છે | હું ત્યાગ કરું છું. વિશેષાર્થ : પોતાની શક્તિનો વિચાર કરતાં સાંધકને જ્યારે જણાય કે, “એક પ્રહર અથવા દોઢ પ્રહર સુધી હું આહાર ન કરું તો મારા તન-મનને ક્યાંય વાંધો આવવાનો નથી. ક્યાંય મારી આરાધનામાં અવરોધ થવાનો નથી, ત્યારે સાધક સૂર્યોદય પછી પોરસી કે સાઢપોરિસીનું પચ્ચખાણ કરે છે. તે સમય દરમ્યાન સાધક આહાર સંબંધી ઇચ્છા ન થાય તેની કાળજી રાખી આહારસંજ્ઞાને નાથવા પ્રયત્ન કરે છે. ' આ પચ્ચકખાણ પણ પહેલા પચ્ચકખાણ જેવું છે, માત્ર તેમાં ત્યાગ કરવાની સમયની મર્યાદા વધારે છે. આ પ્રતિજ્ઞામાં પોરિસીનું પચ્ચખાણ કર્યું હોય તો સૂર્યોદયથી એક પ્રહર સુધી અને સાઢપોરિસીનું પચ્ચખાણ કર્યું હોય તો દોઢ (૧૧/) પ્રહર સુધી ચારે આહારનો ત્યાગ કરાય છે. આ રીતે સમય મર્યાદા વધી હોવાના કારણે અહીં નવકારશીના પચ્ચકખાણ સંબંધી અનાભોગ, સહસાકાર, મહત્તરાકાર અને સર્વસમાધિપ્રત્યયાકાર ઉપરાંત નીચે દર્શાવેલા બીજા ૩ આગારો (છૂટ) પણ રખાય છે.

Loading...

Page Navigation
1 ... 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250