________________
પચ્ચખાણનાં સૂત્રો
૨૦૯
સંસ્કૃત છાયા ?
૨ પોષી, સારુષી उद्गते सूर्य नमस्कारसहितं पौरुषी सार्धपौरुषी मुष्टिसहितं प्रत्याख्याति/प्रत्याख्यामि।
ક્રતે સૂર્યે ચતુર્વિધ આહારમ્ - અશ, , વદિ (ઈ), વાલમ () अन्यत्र अनाभोगेन सहसाकारेण प्रच्छन्नकालेन दिग्मोहेन साधुवचनेन महत्तराकारेण सर्वसमाधिप्रत्ययाकारेण व्युत्सृजति/व्युत्सृजामि। શબ્દાર્થ :
(૨) પોરિસી અને સાઢપોરિસી સૂર્યોદયથી એક પહોર (કે દોઢ પહોર) સુધી નમસ્કારસહિત, મૂઠી સહિત પચ્ચખાણ કરે છે | હું પચ્ચખાણ કરું છું. તેથી સમય થયા પછી જ્યાં સુધી હું મૂઠીવાળીને ત્રણ નવકાર ન ગણું ત્યાં સુધી) ચાર પ્રકારના આહારનો એટલે અશન, પાન, ખાદિમ અને સ્વાદિમનો ૧. અનાભોગ. ૨. સહસાકાર. ૩. પ્રચ્છન્નકાલ. ૪. દિગ્બોહ. ૫. સાધુવચન. ૬. મહત્તરાકાર. ૭. સર્વસમાધિપ્રત્યયાકાર. એ આગારો-પૂર્વક ત્યાગ કરે છે | હું ત્યાગ કરું છું. વિશેષાર્થ :
પોતાની શક્તિનો વિચાર કરતાં સાંધકને જ્યારે જણાય કે, “એક પ્રહર અથવા દોઢ પ્રહર સુધી હું આહાર ન કરું તો મારા તન-મનને ક્યાંય વાંધો આવવાનો નથી. ક્યાંય મારી આરાધનામાં અવરોધ થવાનો નથી, ત્યારે સાધક સૂર્યોદય પછી પોરસી કે સાઢપોરિસીનું પચ્ચખાણ કરે છે. તે સમય દરમ્યાન સાધક આહાર સંબંધી ઇચ્છા ન થાય તેની કાળજી રાખી આહારસંજ્ઞાને નાથવા પ્રયત્ન કરે છે. '
આ પચ્ચકખાણ પણ પહેલા પચ્ચકખાણ જેવું છે, માત્ર તેમાં ત્યાગ કરવાની સમયની મર્યાદા વધારે છે. આ પ્રતિજ્ઞામાં પોરિસીનું પચ્ચખાણ કર્યું હોય તો સૂર્યોદયથી એક પ્રહર સુધી અને સાઢપોરિસીનું પચ્ચખાણ કર્યું હોય તો દોઢ (૧૧/) પ્રહર સુધી ચારે આહારનો ત્યાગ કરાય છે. આ રીતે સમય મર્યાદા વધી હોવાના કારણે અહીં નવકારશીના પચ્ચકખાણ સંબંધી અનાભોગ, સહસાકાર, મહત્તરાકાર અને સર્વસમાધિપ્રત્યયાકાર ઉપરાંત નીચે દર્શાવેલા બીજા ૩ આગારો (છૂટ) પણ રખાય છે.