Book Title: Sutra Samvedana Part 06
Author(s): Prashamitashreeji
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 245
________________ ૨૩૨ સૂત્ર સંવેદના-૬ ૪. સ્વાધ્યાય કર્યા પછી પણ આહારાદિ વિના પોતાના પરિણામોમાં સ્થિરતા નહિ આવે એવું જણાતા સાધક પચ્ચકખાણ પાળવાની તૈયારી કરે છે. તે માટે સાધક ખમાસમણ આપી ‘ઇચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! મુહપત્તિ પડિલેહું ?'નો આદેશ માંગે છે. ગુરુની અનુજ્ઞા મળતાં તે મુહપત્તિનું પડિલેહણ કરે છે. જેમાં બાહ્ય અંગોનું પડિલેહણ કરતાં તે સુદઢ રીતે પોતાના અંતરંગ ભાવોની પણ તપાસ કરે છે. તે ૫. પછી ખમાસમણ આપી ‘ઇચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! પચ્ચશ્માણ પારું ?” એટલે કે હે ભગવંત ! આપની આજ્ઞા હોય તો હું પચ્ચકખાણ પારું? - આવો આદેશ માંગે, ગુરુભગવંત ત્યારે કહે, “પુણરવિ વાયવ્યો’ - ફરીથી પણ આવું પચ્ચખાણ કરવા યોગ્ય છે. આ સાંભળી શિષ્ય કહે ‘યથાશક્તિ' અર્થાત્ આપની વાત યોગ્ય છે મારી શક્તિ હશે તો હું જરૂર તે પ્રમાણે કરીશ. જ્યારે સાધકને લાગે કે, હવે મારી મન-વચન-કાયાની શક્તિ નથી ત્યારે તે ફરી ખમાસમણ આપી કહે કે, “ઈચ્છાકારેણ સંસિહ ભગવન્! પચ્ચખાણ પાયું.' અર્થાત્ ભગવંત ! હવે પચ્ચખાણ પારું છું ત્યારે ગુરુ ભગવંત કહે કે 'માયારો નમુત્તવ્યો' આ આચાર મૂકવા યોગ્ય નથી. આ શબ્દ સાંભળી સાધક કહે “તત્ત' અર્થાતુ ભગવંત ! આપ કહો છો તે બરાબર છે, અવસરે પચ્ચદ્માણ કરવાનું જરૂર યાદ રાખીશ.' ૬. ‘તહતિ' કહીને સાધક જમણો હાથ કટાસણી કે ચરવલા (ઘા) પર મૂઠીવાળી મૂકે અને એક નવકાર ગણી જે પચ્ચક્ખાણ કર્યું હોય, તે પ્રમાણે સૂત્ર બોલી પચ્ચદ્માણ પારે. મૂલ સૂત્ર: ૧. નવકારસીથી આયંબિલ સુધીનાં દશ પચ્ચકખાણ પારવાનું સૂત્ર. 'उग्गए सूरे नमुक्कारसहि पोरिसिं साढपोरिसिं सूरे उग्गए पुरिमड्ड अवड(गंठिसहिअं) मुट्ठिसहियं पच्चक्खाण कर्यु चउबिहारः 1. દશ પ્રકારના પચ્ચકખાણ પારવા માટેનો આ સંયુક્ત પાઠ છે, તેથી જે પચ્ચખાણ પારવું હોય તેને જ યાદ કરી તેના નામનું જ ઉચ્ચારણ કરવું જેમકે – “પાસનું વર્યુ તિવિહાર” આ પ્રકારે વિવિધ પ્રત્યાખ્યાનો પારવામાં આવે છે. 2. પચ્ચકખાણ પારવાનું સૂત્ર બોલીને પછી ભોજન પહેલાંના સમયે અવિરતિમાં ન જાય તે માટે આદિમાં સંકેત પચ્ચકખાણ કરાય છે. - ધર્મસંગ્રહ ભાષાંતર ભાગ-૧ પૃ. ૨૫૯

Loading...

Page Navigation
1 ... 243 244 245 246 247 248 249 250