________________
૨૩૬
સૂત્ર સંવેદના-૬
ર ર ગારદિયું તરસ મિચ્છા મિ . અને ઉપર જણાવ્યા પ્રમાણે જો છ શુદ્ધિપૂર્વક પચ્ચખાણ ન આરાધ્યું હોય તો તે સંબંધી મારું દુષ્કૃત મિથ્યા થાઓ.
છેલ્લે સાધક જણાવે છે કે, “હે ભગવંત મેં છએ શુદ્ધિઓ જાળવવા પ્રયત્ન કર્યો છે; પરંતુ મારાથી તે શુદ્ધિઓ સારી રીતે જળવાઈ ન હોય. પ્રમાદને વશ થઈ કષાયોને આધીન થઈ, મારાથી ક્યાંક કચાશ રહી હોય, મન-વચન કાયાથી ક્યાંક દોષોનું આસેવન થયું હોય તો, હે ભગવંત ! આ મેં ખોટું કર્યું છે. તેની આપની સમક્ષ નિંદા કરું છું, ગઈ કરું છું અને મારા આ પાપ મિથ્યા થાઓ તેવી ભાવના ભાવું છું.'
આ રીતે પચ્ચખાણ પારવાની ક્રિયા તે જ સાધક કરી શકે જેને ઉપયોગ પૂર્વક પચ્ચકખાણ લીધું હોય અને વિધિવતું તેનું પાલન કર્યું હોય. બાકી ગતાનુગતિક રીતે કે ઉપયોગ વિના પચ્ચકખાણ કરનાર સાધક સાચા અર્થમાં પચ્ચકખાણ લેતો પણ નથી અને તેને પૂર્ણ પણ કરતો નથી. આવા લોકોને પચ્ચક્ખાણનું ફળ પણ મળતું નથી.