Book Title: Sutra Samvedana Part 06
Author(s): Prashamitashreeji
Publisher: Sanmarg Prakashan
View full book text
________________
૧૯૬
સૂત્ર સંવેદના-૬
(૨૫) એકેન્દ્રિય (સચિત્ત વનસ્પતિ, અનાજ, દાણા)નો સંઘટ્ટો થાય તો. (૨૬) દિવસે નિદ્રા લે તો. (૨૭) દીવાની, ઈલેક્ટ્રીક કે વીજળી આદિની ઉજેહિ (પ્રકાશ) લાગે તો. (૨૮) કામળી કાળમાં કાળી ઓડ્યા વગર અગાસી કે ખુલ્લી જગ્યામાં જાય તો. (૨૯) વર્ષાદિકના છાંટા લાગે તો. (૩૦) વાડામાં સ્વડિલ (વડીનીતિ) જાય તો. (૩૧) બેઠા બેઠા પડિક્કમણું કરે તો. (૩૨) બેઠા બેઠા ખમાસમણ દે તો. (૩૩) ઉઘાડે મુખે બોલે તો.
અન્ય વિગતો ગુરુગમથી સમજવી.
આ ઉપરાંત પૌષધ અને તેમાં લાગતાં અતિચારો સંબંધી વિશેષ જાણકારી માટે સૂત્ર સંવેદના-૪માંથી વંદિતુ સૂત્રની ગાથા-૨૯નું વિવેચન ખાસ વાંચવું.
ઉપરોક્ત આલોચના સ્થાનો સંબંધી સાવચેતી રાખવા ઉપરાંત પૌષધ કરનારે નીચેની બાબતોનું ખાસ ધ્યાન રાખવું : • ૧૦૦ ડગલા બહારથી આવીને કે જીંડલ-માનું પરઠવીને આવીને
અવશ્ય ઇરિ ગમણા કરવા. • ચાતુર્માસમાં બપોરે કાળવેળાનો કાજો લેવો.
મુહપત્તિનો બોલવા સમયે ઉપયોગ રાખવો. • ચાલતાં ચાલતાં વાતો ન કરવી • સૂવામાં સંથારા ઉત્તરપટ્ટાથી વધુ ન વાપરવું. વાપર્યું હોય તો આલોચના
લેવી રાત્રે કુંડલ અવશ્ય નાંખવા.
નાંખવા ભૂલાઈ જાય અથવા ખોવાઈ જાય તો આલોચના લેવી. • દેવવંદન પ્રતિદિન ચાર કરવા.
જિનાલયનું દેવવંદન અલગથી કરવાથી ચારે દેવવંદન થાય. પીવાનું પાણી વસ્તુત: યાચીને જાતે લાવવું લાવતા પૂર્વે માટલા-ગ્લાસ વગેરે તમામનું પડિલેહણ કરવું. શક્યત: પૌષધ દરમ્યાન એક પણ કાર્ય અવિરતિવાળા પાસે ન કરાવવા. પૌષધના અઢાર દોષ (પાના નં. ૧૭૮-૧૭૯ પરથી) અને સામાયિકના બત્રીશ દોષ (સૂત્ર સંવેદના-૧ માંથી) સમજી લેવા.

Page Navigation
1 ... 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250